અફઘાનિસ્તાનમાં શાંતિ માટે અમેરિકા અને તાલિબાનની વચ્ચે આજે કતારમાં ઐતિહાસિક શાંતિ સમજુતી પર હસ્તાક્ષર થયા. અમેરિકાએ એલાન કર્યું છે કે જો તાલિબાન શાંતિ સમજુતીનું પાલન કરે છે તો તેઓ અને તેમના સહયોગી 14 મહીનાની અંદર અફઘાનિસ્તાનથી પોતાના તમામ સૈનિકોને પાછા બોલાવી લેશે.
અફઘાનિસ્તાનમાં શાંતિ માટે અમેરિકા અને તાલિબાનની વચ્ચે આજે કતારમાં ઐતિહાસિક શાંતિ સમજુતી
અમેરિકી સેનાના અફઘાનિસ્તાનમાંથી હટ્યા બાદ તાલિબાન સશસ્ત્ર સંઘર્ષ છોડી દેશે
અમેરિકા અને અફઘાનિસ્તાને પોતાના સંયુક્ત નિવેદનમાં આમ વાત કહી છે. માનવામાં આવી રહ્યું છે કે અમેરિકી સેનાના અફઘાનિસ્તાનમાંથી હટ્યા બાદ તાલિબાન સશસ્ત્ર સંઘર્ષ છોડી દેશે. આ ડીલ પર સહમતી આ ઉદ્દેશ્ય માટે જ બની છે. તાલિબાનનો દેશમાં વિદેશી સૈનિકોના હોવા પર મોટો વિરોધ હતો.
અમેરિકા અને અફઘાનિસ્તાનના સંયુક્ત ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું છે કે શનિવારે સમજુતી પર હસ્તાક્ષર થયા બાદ 135 દિવસની અંદર શરૂઆતમાં અમેરિકા અને તેના સહયોગી પોતાના 8,600 સૈનિકો પાછા બોલાવી લેશે અને આગળના 14 મહીનામાં તમામ સૈનિક પાછા ફરશે.
કતારના દોહામાં શનિવારે સમજુતીના સાક્ષી બનવા માટે લગભગ 30 દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના વિદેશ મંત્રી અને પ્રતિનિધિ પહોંચ્યા હતા. બંને પક્ષોની વચ્ચે 18 મહીનાઓની વાર્તા બાદ આ સમજુતી થઇ. એક તરફ અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિયો દોહામાં હસ્તાક્ષર પ્રક્રિયામાં સામેલ થયા. જ્યારે અમેરિકી રક્ષા મંત્રી માર્ક એસ્પર અને નાટો મહાસચિવ જેન્સ સ્ટોલટેનબર્ગ શનિવારે કાબુલમાં હાજર હતા.
ટ્રમ્પે સેના પાછી બોલાવવાનું આપ્યું હતું વચન
વર્ષ 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે વચન આપ્યું હતું કે તેઓ સત્તામાં આવશે તો અફઘાનિસ્તાનથી અમેરિકી સેનાને પાછી બોલાવી લેશે. ટ્રમ્પનું માનવું છે કે અફઘાનિસ્તાનમાં અમેરિકી સેનાના રહેવાથી કોઇ ફાયદો નથી થયો. થોડા દિવસો પહેલા ભારત પ્રવાસે આવેલા ટ્ર્મ્પે કહ્યું હતું કે અમેરિકા જલ્દી જ અફઘાનિસ્તાનમાંથી પોતાની સેના બોલાવી લેશે.
US સેનાની વાપસીથી ભારત પર શું થશે અસર?
અફઘાનિસ્તાનમાં શાંતિ અને સમાધાનની પ્રક્રિયાનું ભારત એક મહત્વપૂર્ણ પક્ષકાર ભલે રહ્યું છે પરંતુ તેનાથી ભારતનું સંકટ ઘણું વધવાનું છે. રક્ષા વિશેષજ્ઞ કમર આગાએ કહ્યું, અફઘાનિસ્તાનની જનતા ઇચ્છે છે કે ભારત તેમના દેશમાં મોટી ભૂમિકા નિભાવે પરંતુ શાંતિ સમજુતી બાદ ભારતની મુશ્કેલીઓ ઘણી વધી જશે. તાલિબાન સાથે પાકિસ્તાનના સારા સંબંધ છે. આ ડીલ બાદ પાકિસ્તાન પોતાના આતંકી કેમ્પ પોતાના દેશમાંથી હટાવીને અફઘાનિસ્તાન મોકલી શકે છે. સાથે જ દુનિયાને બતાવશે કે તે આતંકીઓનું પોષણ નથી કરી રહ્યું.