ભારત સાથે દોસ્તીના દાવાઓ કરનાર અમેરિકાએ પોતાના નાગરિકોને ભારતની યાત્રા ન કરવાની સલાહ આપી છે. અમેરિકાએ તેનું કારણ ભારતમાં કોરોના સંકટ, મહિલાને લગતા તથા અન્ય ગુનાહો અને આતંકવાદ બતાવ્યું છે. એટલું જ નહીં અમેરિકાએ ભારતની યાત્રા માટે રેટિંગ 4 નિર્ધારિત કરી છે. જેને સૌથી ખરાબ માનવામાં આવે છે.
અમેરિકાએ ભારતની યાત્રા માટે સૌથી ખરાબ માનવામાં આવતું રેટિંગ નિર્ધારીત કર્યુ
અમેરિકાએ આ માટે કોરોના, ભારતમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધ અને આતંકવાદને જવાબદાર ગણાવ્યો
અમેરિકાએ ભારતને યાત્રા માટે પાકિસ્તાન, સિરીયા અને યમનની શ્રેણીમાં મૂક્યુ
આ શ્રેણીમાં ભારત સિવાય યુદ્ધગ્રસ્ત સીરિયા, આતંકવાદનું કેન્દ્ર પાકિસ્તાન, ઇરાન, ઇરાક અને યમન સામેલ છે. જેને લઇને ઇન્ડિયન ટૂરિઝમ અન્ડ હોસ્પિટલ સંઘે (FAITH)ભારત સરકાર પાસે ગુહાર લગાવી છે કે તે અમેરિકા સરકારને ટ્રાવેલ એડવાઇઝરી બદલવા દબાણ કરે.
ફેથે કહ્યું કે સરકાર તેને પ્રાથમિકતાના આધાર પર ઉઠાવે જેથી દેશ વિશે બનતી નકારાત્મક ઇમેજને રોકી શકાશે. ભારતમાં પર્યટન ઉદ્યોગ માટે અમેરિકી પ્રવાસી દરેક મોસમમાં ખુબ જ અહમ રહ્યાં છે. અમેરિકાથી આવનારા પ્રવાસીઓ અન્ય દેશોની તુલનામાં સૌથી વધારે સમય ભારતમાં રહે છે.
જો અમેરિકા સરકાર ભારતના પક્ષમાં ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરે છે તો તે ભારતમાં યાત્રાને લઇને એક સારો માહોલ બનાવશે. જેનાથી પર્યટન ઉદ્યોગને મોટી રાહત મળશે. આ એડવાઇઝરીમાં એ પણ ચેતવણી આપવામાં આવી છે કે કોરોના વાયરસના કારણે સીમાને બંધ કરવામાં આવી શકે છે અને એરપોર્ટને પણ બંધ કરવામાં આવી શકે છે. યાત્રા પર પણ પ્રતિબંધ લગાવી શકે છે.
23 ઓગસ્ટે જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં ભારત ઉપરાંત પાકિસ્તાન, સીરિયા, યમન, ઈરાન અને ઈરાક જેવા હિંસાગ્રસ્ત દેશોનો સમાવેશ થયો છે.