લોકસભા ચૂંટણી 2019ના પરિણામ આજે સામે આવી ગયા છે. એકલી ભાજપ પાર્ટીએ આશરે 300 થી વધારે સીટો જીતે એવી શક્યતા છે. ચૂંટણી પરિણામોની તસ્વીર સ્પષ્ટ થવાની સાથે જ વિપક્ષી દળોએ એક વખત ફરીથી ઇવીએમને લઇને પ્રશ્નો ઊઠાવવાના શરૂ કરી દીધા છે. ઉત્તર મુંબઇથી કોંગ્રેસની ટિકીટ પર ચૂંટણી લડી રહેલી બૉલીવુડ અભિનેત્રી ઉર્મિલા માતોડકર પોતાની સીટ હારી ગઇ છે. એને પોતાની હાર બાદ કહ્યું કે એને ઇવીએમમાં ગોટાળો હોય એવું જાણવા મળ્યું છે.
ઉર્મિલાએ એક નિવેદનમાં કહ્યું છે કે, 'હું ગોપાલ શેટ્ટીને જીતની શુભેચ્છા પાઠવું છું. અમને ઇવીએમમાં ગડબડ હોવાની જાણ થઇ છે. અમે આ માટે એક રિપોર્ટ તૈયાર કર્યો છે જેને અમે આજે સાંજ સુધીમાં ચૂંટણી પંચને સોંપીશું.'
Urmila Matondkar, Congress candidate from Mumbai North parliamentary constituency: I congratulate Gopal Shetty. We have noticed discrepancies in EVMs, we have prepared a report on it that we will submit to Election Commission at the end of the day. #ElectionResults2019 pic.twitter.com/nX2ONYA08d
— ANI (@ANI) May 23, 2019
આ પહેલા આજે ઉર્મિલાએ ટ્વિટર અકાઉન્ટ પર કહ્યું હતું કે માગાથાનેના ઇવીએમ 17 સી માં સિગ્નેચર અને મશીન નંબર અલગ છે. એને લઇને ચૂંટણી પંચ પાસે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
On the form of EVM 17C from Magathane, the signatures and the machine numbers are different. A complaint has been filed with the Election Commission.
— Urmila Matondkar (@OfficialUrmila) May 23, 2019
ધ્યાન આપવા જેવી વાત એ છે કે એક્ઝિટ પોલ બાદથી જ વિપક્ષી પાર્ટીઓ સતત ઇવીએમ પર પ્રશ્નો ઊઠાવતી રહી છે. પરંતુ ચૂંટણી પંચે આ અફવાઓને ફગાવી દીધી છે.