કંગના રનૌત લાંબા સમયથી કોઇ ને કોઇ કારણસર ચર્ચામાં છવાયેલી છે. સુશાંત આત્મહત્યા કેસ હોય કે ખેડૂત આંદોલન, કંગના દરેક જગ્યાએ બેફામપણે તેનુ નિવેદન આપે છે અને લાઇમલાઇટમાં રહે છે. કેટલીક સેલિબ્રિટી સાથે પણ તેના તણાવભર્યા સંબંધો રહ્યાં છે ત્યારે હાલમાં જ ઉર્મિલા માતોડકરે કંગનાને આડેહાથ લીધી છે.
ઉર્મિલાએ કંગનાને લીધી આડેહાથ
વીડિયો પોસ્ટ કરી ભડકી ઉર્મિલા
કંગનાએ ઉઠાવ્યા ઉર્મિલા પર સવાલ
ઉર્મિલાએ લીધી 3 કરોડની ઑફિસ
હાલમાં જ ઉર્મિલાએ મુંબઇમાં 3 કરોડ રૂપિયાની ઑફિસ લીધી છે જેને લઇને કંગનાએ સવાલ ઉઠાવ્યા છે. જેના જવાબમાં ઉર્મિલાએ એક વીડિયો પલ્બિશ કર્યો છે અને કંગનાને જવાબ આપ્યો છે.
ઉર્મિલાએ કંગનાના આપ્યા જવાબ
આ વીડિયોમાં ઉર્મિલાએ કંગના પર નિશાન સાધ્યુ છે અને તેના સવાલોના જવાબ પણ આપ્યા છે. ઉર્મિલાએ કહ્યું કે, નમસ્કાર કંગનાજી મેં મારા વિશે તમારા ઉચ્ચ અભિપ્રાયો સાંભળ્યા છે ઇવન આખો દેશ સાંભળી ચૂક્યો છે. આજે હું તમને આખા દેશની સામે કહેવા માંગુ છું કે તમે સ્થળ અને સમય પસંદ કરો મારા બધા ડૉક્યુમેન્ટ્સ લઇને હું ત્યાં ચોક્કસ આવીશ.
આ ડૉક્યુમેન્ટ વધારે મોટા નહી પરંતુ લગભગ 25-30 વર્ષની મહેનત બાદ જે ફ્લેટ મેં અંધેરીમાં ખરીદ્યો હતો તેના પેપર્સ હશે. જેને મેં માર્ચમાં વેચ્યો છે અને તેના પણ પેપર્સ હશે. તે પૈસાથી ખૂબ મહેનતથી મેં આ ઑફિસ ખરીદી છે. મેં આ ફ્લેટ ખરીદ્યો તે રાજનીતિમાં આવ્યા પહેલા ખરીદ્યો હતો.
ઉર્મિલાએ કંગનાને લીધી આડેહાથ
ઉર્મિલાએ આગળ કહ્યું કે, બદલામાં હું એટલુ ઇચ્છુ છુ કે, અમારા જેવા લાખો-કરોડો ટેક્સ પેટર્સના પૈસાથી તમારી સરકારે તમને જે વાય પ્લસ સિક્યોરીટી આપી હતી અને તમે દાવો કર્યો હતો કે તમારી પાસે તે લોકોના નામની લિસ્ટ છે જે તમે એનસીબીને આપવાના છો. તેનો ઇંતઝાર સમગ્ર દેશ કરી રહ્યો છે. કારણકે સમગ્ર દેશ ડ્રગ્સની સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે, તો તે લિસ્ટ લઇને આવો અને મને તમારા જવાબની રાહ રહેશે.
કંગનાનો મરાઠી લૂક
કંગનાનો મરાઠી લૂક ખુબ જ ચર્ચામાં છે. ગ્રીન કલરની ટ્રેડિશનલ બોર્ડરવાળી સાડી કે જેને પૈઠણી સાડી કહેવામાં ાવે છે, તેની સાથે તેણે મોર્ડન લૂક કેરી કર્યો છે. આ સાડી મહારાષ્ટ્રના ઔરંગાબાદની ખાસ ઓળખાણ છે.,
આ સાથે જ કંગનાએ નોઝ રિંગ અને વાળમાં ગજરો પણ લગાવ્યો હતો. આ લૂકમાં કંગના ખૂબ જ સુંદર લાગી રહી હતી. કંગના અહીં 5 મિનીટ માટે રોકાઇ હતી.
મંદિરમાં મેનેજર હેમંત જાધવ અનુસાર, કંગના સવારો 10 વાગે મંદિરે દર્શન માટે પહોંચી હતી. તેમના કમાન્ડો બહાર ઉભા રહ્યાં હતા જ્યાં સુધી તે અંદર રહી હતી.
કંગનાએ ગણપતિ બાપ્પા મોરિયા અને જય મહારાષ્ટ્ર કહ્યું હતું. તે સિવાય તેણે કહ્યું કે, મુંબઇમાં રહેવા માટે મારે માત્ર ગણપતિની પરમિશન લેવાની જરૂર છે. અને અહીં હું ગણપતિની પરમિશન લેવા આવી છું, મારે બીજા કોઇની પરમિશન લેવાની જરૂર નથી.