યુરિક એસિડ એવા પદાર્થમાંથી બને છે જેમાં પ્યુરિન નામનું તત્વ મોટી માત્રામાં હોય છે. પ્યુરિન માંસ, સૂકા કઠોળ, બીયર અથવા વાઇન, સી ફૂડમાં વધુ જોવા મળે છે.
શિયાળામાં વધી જાય છે યુરિક એસિડની સમસ્યા
અપનાવો આ ઘરગથ્થુ ઉપાય
શરીરને મળશે તરત આરામ
લોહીમાં યુરિક એસિડનું પ્રમાણ વધવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આનાથી સંધિવા, કિડનીમાં પથરી જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન મુજબ, 3.4 થી 7 mg/dL સુધીની યુરિક એસિડ રેન્જ પુરુષોમાં સામાન્ય માનવામાં આવે છે અને 2.4 થી 6 mg/dL સ્ત્રીઓમાં સામાન્ય માનવામાં આવે છે. તેનું ઘટવું અને વધવું બંને સ્વાસ્થ્ય માટે સારું નથી. એટલા માટે તમારે હંમેશા તમારા ખોરાક પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.
યુરિક એસિડનું ઓછુ અને વધાર થવુ
જો યુરિક એસિડનું સ્તર ઓછું હોય તો ઘણી સમસ્યાઓ થઈ શકે છે. યુરિક એસિડનું સ્તર 2mg/dL અથવા 1mg/dL કરતાં ઓછું હોય તો મલ્ટિપલ સ્ક્લેરોસિસ, પાર્કિન્સન્સ અને મોટર ન્યુરોન જેવા રોગો થઈ શકે છે. યુરિક એસિડનું સ્તર વધવાને તબીબી પરિભાષામાં હાયપરયુરિસેમિયા કહેવાય છે.
આ પણ ખતરનાક છે. યુરિક એસિડ વધવાથી સાંધામાં સ્ફટિક કે પથરી બનવા લાગે છે. કિડનીમાં પથરી થવાનું જોખમ પણ રહે છે. એટલા માટે ખોરાકમાં સુધારો કરવો જોઈએ જેથી કરીને લોહીમાં યુરિક એસિડનું સ્તર ન વધે. આ 5 વસ્તુઓને ડાયટમાં સામેલ કરવી જોઈએ.
નારંગી
એક મીડિયા રિપોર્ટ અનુસાર, નારંગી ઠંડા હવામાનમાં ઉચ્ચ યુરિક એસિડ ધરાવતા દર્દીઓ માટે જીવન બચાવનાર તરીકે કામ કરે છે. તેમાં હાજર વિટામિન સી લોહીમાં યુરિક એસિડનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. શિયાળાની ઋતુમાં નારંગીનું નિયમિત સેવન કરવું જોઈએ.
આમળા
હેલ્થ લાઈન મુજબ આમળા પણ નારંગીની જેમ વિટામિન-સીનો સારો સ્ત્રોત છે. આમળામાં જોવા મળતા એન્ટી-ઓક્સિડેન્ટ, એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણો યુરિક એસિડના સ્તરને નિયંત્રણમાં રાખે છે. તેનાથી અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો પણ અંત આવે છે. એટલા માટે આમળાનું નિયમિત સેવન કરવું જોઈએ.
ગ્રીન ટી
એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જો શિયાળાની ઋતુમાં દરરોજ ગ્રીન ટીનું સેવન કરવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક છે. ગ્રીન ટીમાં મળતા પોષક તત્વો યુરિક એસિડના સ્તરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે.
નાળિયેર પાણી
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે જો કોઈ વ્યક્તિમાં યુરિક એસિડ વધી ગયું હોય તો તેના માટે નારિયેળ પાણી રામબાણ બની શકે છે. હાઈ યુરિક એસિડના દર્દીઓએ દરરોજ સવારે નારિયેળ પાણી પીવું જોઈએ.
ચેરી
હેલ્થલાઈન અનુસાર ચેરી યુરિક એસિડની માત્રાને નિયંત્રિત કરવામાં ખૂબ અસરકારક છે. જો યુરિક એસિડના દર્દીઓ તેમના આહારમાં ચેરીનો સમાવેશ કરે છે, તો તેમાં જોવા મળતા એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ તેમના વધેલા યુરિક એસિડનો દુખાવો અને સોજો ઓછો કરી શકે છે.