18 સપ્ટેમ્બર 2016, આ એ તારીખ છે જ્યારે ભારતે પોતાના કેટલાક બહાદુર જવાનોને ગુમાવી દીધા, જમ્મૂ કાશ્મીરમાં ઉરી પ્રાંતની નજીક એક આતંકવાદી હુમલો થયો જેમાં 19 જવાનોએ પોતાના જીવ ગુમાવ્યા.
જમ્મૂ-કશ્મીરના ઉરી પર થયેલા આતંકી હુમલાની આજે વરસી
આ આતંકી હુમલામાં 19 શહીદ જવાન થયા હતા
ભારતે વળતા હુમલામાં PoKમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી
જમ્મૂ કાશ્મીરના ઉરી પ્રાંતમાં 18 સપ્ટેમ્બર, 2016ના રોજ એક આતંકીવાદી હુમલો થયો હતો. જેમાં 19 જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ હુમલાને છેલ્લા 20 વર્ષમાં ભારતીય જવાનો પર થયેલો સૌથી મોટો હુમલો જણાવ્યો હતો. હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન જેશ એ મોહમ્મદે લીધી હતી અને આ હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી.
આ એક એવી ઘટના હતી જેમાં એક બાજુ ભારતીય લોકો ખૂબ દુખી હતા અને બીજી બાજુ સમગ્ર દેશમાં આક્રોશનો માહોલ હતો. સમય પસાર થયો અને 2016માં થયેલી આ સર્જિકલ સ્ટ્રાઇકલ પર વર્ષ 2019માં એક ફિલ્મ બની જેનું નામ હતું 'ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક.' આ ફિલ્મમાં વિક્કી કૌશલ લીડ રોલમાં હતો અને યામી ગૌતમ, મોહિત રૈના, પરેશ રાવલ અને કૃતિ કુલ્હારીએ અન્ય મહત્વની ભૂમિકા નિભાવી હતી.
સાચી ઘટના પર આધારિત આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી , માત્ર 25 કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મે 342 કરોડ રૂપિયાનો જોરદાર બિઝનેસ કર્યો અને આ ફિલ્મએ વિક્કી કૌશલનને સુપરસ્ટાર બનાવી દીધો. 11 જાન્યુઆરી 2019એ રિલીઝ થયેલી આ ફિલ્મનો ડાયલૉગ 'હાઉઝ ધ જોશ' બધાને ફેવરિટ બની ગયો અને આ ડાયલૉગને રાજનેતાઓથી લઇને અભિનેતાઓ સુધી તમામને બોલતા જોવામાં આવી રહ્યા હતા.
આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં વિક્કી કૌશલે મેજર વિહાનનો રોલ પ્લે કર્યો હતો અને પરેશ રાવલ અજીત ડોભાલના કિરદારમાં હતા. આજે 18 સપ્ટેમ્બરે એક વખત દેશ ફરીથી એ બહાદુર જવાનોની શહીદીને યાદ કરી રહ્યો છે. જેમને દેશની સુરક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા.