જો તમે PAN કાર્ડ અને આધાકકાર્ડની સાથે લિંક કર્યું નથી તો સરકારના આ નિયમો અનુસાર, અગામી 30મી સપ્ટેમ્બર 2021 પછી તમારું PAN કાર્ડ અમાન્ય થઈ જશે.
30 સ્પટેમ્બર પહેલા પતાવી લો આ કામ
પાનકાર્ડને આધાર સાથે લિંક કરાવી લો
જો લિંક નહી કરાવો તો ભરવો પડશે દંડ
પાનકાર્ડ લીંક કરાવી દેજો નહિંતર આધારકાર્ડ નિષ્ક્રિય થઈ જશે
પાન કાર્ડ ધારકો માટે કામના સમાચાર છે. સરકારે PAN અને આધારને લિંક કરવા માટે ચેતવણી જારી કરી છે કે જો 30 સપ્ટેમ્બર પહેલા તેને લિંક કરવામાં નહીં આવે તો તમારું આધાર નિષ્ક્રિય થઈ જશે. ભારતમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ સૌથી મહત્વના દસ્તાવેજો છે. આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાથી લઈને મોટા બેંકિંગ વ્યવહારો સુધી, આધારને પાન કાર્ડ સાથે જોડવું પણ જરૂરી છે.
જો પાનકાર્ડ આધારકાર્ડ સાથે જોડાયેલું નહીં હોય તો દંડ ભરવો પડશે
આ સિવાય તમામ પ્રકારના નાણાકીય કામ માટે પાન કાર્ડ હોવું ફરજિયાત છે. આવકવેરા વિભાગે PAN ને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર નક્કી કરી છે. ધ્યાનમાં રાખો કે જો પાન કાર્ડ આધાર કાર્ડ સાથે જોડાયેલું નથી, તો ભારે દંડ ભરવો પડી શકે છે.
PAN કાર્ડ લિંક નહીં હોય તો ITR ફાઇલ કરી શકશો નહીં
આવકવેરા વિભાગ અનુસાર, જો તમે પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક નહીં કરો, તો આવકવેરા કાયદાની કલમ -139AA હેઠળ તમારું PAN અમાન્ય થઈ જશે. આવી સ્થિતિમાં, તમે ઓનલાઇન ITR ફાઇલ કરી શકશો નહીં. આમાં તમારું ટેક્સ રિફંડ અટકાવી શકાય છે. આ સિવાય, તમે કોઈપણ નાણાકીય વ્યવહારમાં PAN નો ઉપયોગ કરી શકશો નહીં.
આ રીતે પાનકાર્ડને ઓનલાઈન લિંક કરો
1. સૌથી પહેલા ઇન્કમટેક્સ વેબસાઇટ પર જાઓ.
2. આધાર કાર્ડમાં આપેલ નામ, પાન નંબર અને આધાર નંબર દાખલ કરો.
3. જો આધાર કાર્ડમાં માત્ર જન્મનું વર્ષ આપવામાં આવે તો ચોરસ પર ટિક કરો.
4. હવે આપેલ કેપ્ચા કોડ દાખલ કરો.
5. હવે લિંક આધાર બટન પર ક્લિક કરો.
6. તમારું PAN આધાર સાથે લિંક થશે.
પાનકાર્ડ રદ કરવામાં આવે તો તે નકામું બની જશે
પાનકાર્ડ રદ થયા બાદ તેને ફરીથી ઓપરેટિવ બનાવી શકાય છે. પરંતુ ધ્યાનમાં રાખો કે જો આ દરમિયાન કોઈએ રદ કરેલા પાન કાર્ડનો ઉપયોગ કર્યો હોય, તો તે આવકવેરા કાયદા હેઠળ કલમ 272B નું ઉલ્લંઘન માનવામાં આવશે. આવી સ્થિતિમાં પાન ધારકને 10000 રૂપિયાનો દંડ ભરવો પડશે. અને એટલું જ નહીં, જો રદ થયેલ પાનકાર્ડનો ફરીથી ક્યાંક ઉપયોગ કરવામાં આવે તો દંડ પણ વધારી શકાય છે.