G-23થી જાણીતા અસંતુષ્ટ કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીના નિવેદનના વિરોધમાં આજે કરી શકે છે મોટી જાહેરાત.
રાહુલ ગાંધીના નિવેદનને લઈને વિવાદ
કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓને G-23ના નામે ઓળખાય છે
આજે કરી શકે છે મોટી જાહેરાત
કોંગ્રેસનો આંતરિક કલહ ફરી એકવાર ખૂલીને સામે આવી રહ્યો છે. ઉત્તર ભારતની પાર્ટી સાથે જોડાયેલા અનેક વરિષ્ઠ નેતાઓ જમ્મૂ પહોંચી ચૂક્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે તેઓ આજે રાહુલ ગાંધીના નિવેદનના વિરોધમાં કોઈ જાહેરાત કરી શકે છે. રાહુલ ગાંધીએ ઉત્તર-દક્ષિણને લઈને નિવેદન આપ્યું હતું. તેનાથી પાર્ટીના અનેક નેતા નારાજ છે. કોંગ્રેસના આ અંસતુષ્ટ જી-23 નેતાઓએ ગયા વર્ષે પણ પત્ર લખીને કોંગ્રેસ હાઈકમાન પર સવાલ કર્યા હતા. જો આ જી-23 નેતાઓ કોઈ મોટી જાહેરાત કરે છે તો 5 રાજ્યોમાં થનારી વિધનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ માટે નવી મુશ્કેલી ઊભી થઈ શકે છે.
ભારત એક છેનો સંદેશ આપશે
જમ્મૂ પહોંચનારા નેતાઓમાં ગુલા નબી આઝાદ, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, કપિલ સિબ્બલ અને રાજ બબ્બર પણ સામેલ છે. આ સાથે મનીષ તિવારી પણ જમ્મૂ પહોંચી શકે છે. નામ જાહેર ન કરવાની શરતે કોંગ્રેસના જી-23માં સામેલ એક નેતાએ કહ્યું કે આ રાહુલ ગાંધી માટે એક સંદેશ હશે. તેઓએ કહ્યું કે અમે દેશને જણાવીશું કે ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ભારત એક છે.
સોનયિા ગાંધીને લખ્યો હતો પત્ર
કોંગ્રેસા અસંતુષ્ટ નેતાઓએ જે રીતે તેવર દેખાડ્યા છે તેનાથી નક્કી છે કે તેઓ ફરી રાહુલ ગાંધીને નિશાન બનાવી ચૂક્યા છે. જી-23ના એક નેતાએ કહ્યું કે કોંગ્રેસમાં આજે જે પણ થઈ રહ્યું છે તે ગયા વર્ષે ડિસેમ્બરમાં કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠકમાં થયેલી સહમતિનું ઉલ્લંઘન છે. કોઈ સુધારા કે ચૂંટણીનો સંકેત નથી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જી-23ના નેતાઓએ સોનિયા હગાંધીને લખેલા પત્રમાં પાર્ટીના કામને લઈને નારાજગી દેખાડી હતી. આ સાથે સંગઠનમાં જરૂરી ફેરફારની માંગ પણ કરી હતી.
આ કારણે પણ નારાજ છે નેતાઓ
કહેવાઈ રહ્યું છે કે અસંતુષ્ટ નેતા આ વાતથી પણ નારાજ છે કે ગુલામ નબી આઝાદની સાથે સમ્માનપૂર્ણ વ્યવહાર કરાયો નછી. હાલમાં રાજ્યસભાથી રિટાયર થયા પણ કોંગ્રેસના હાઈ કમાને તેમનું સમ્માન કર્યું નથી. પાર્ટીના એક નેતાએ કહ્યું કે અન્ય પાર્ટીઓ આઝાદને સીટ આપવાનું કહી ચૂકી છે. પીએમ પણ તેમના વખાણ કરી ચૂક્યા છે તો કોંગ્રેસ શા માટે કોઈ સમ્માન કરતી નથી. જ્યારે રોબર્ટ વાડ્રાના કેસ માટે એક વકીલને રાજ્યસભા પહોંચાડવામાં આવે છે.
કોંગ્રેસ રાખી રહી છે નજર
અસંતુષ્ટ નેતાઓના સમૂહમાં સામેલ એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે રાહુલ ગાંધીની તરફથી કેરળમાં હાલમાં અપાયેલા ઉત્તર દક્ષિણ નિવેદનથી ચીજો બગડી છે. સૂત્રોના આધારે કોંગ્રેસના અસંતુષ્ટ નેતા જમ્મૂમાં પોતાના મનની વાત કહેશે. એક મેકની પ્રતિબદ્ધતાની જાહેરાત કરશે અને પાર્ટીના અધિકારીને કડક સંદેશ આપશે. સૂત્રોએ કહ્યું કે કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ પણ અસંતુષ્ટ નેતાઓા આ સંભાવિત પગલાંથી જાણકાર છે. પાર્ટી નેતૃત્વ તમામ ઘટના પર નજર રાખી રહી છે અને ઉતાવળમાં તેને માટે નિર્ણય લેવા ઈચ્છતી નથી.
અહીં શું કહ્યું હતુ રાહુલ ગાંધીએ
વાયનાડના પ્રવાસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે તિરુવનંતપુરમમાં એક સભાના સંબોધનમાં કહ્યું કે પહેલાના 15 વર્ષમાં ઉત્તર ભારતથી ધારાસભ્ય હતો અને મને ત્યાં અન્ય પ્રકારની રાજનીતિનો સામનો કરવો પડ્યો. કેરળ આવવાનું તાજગીભર્યું રહ્યું કે કેમકે અહીં લોકો મુદ્દાની રાજનીતિ કરે છે. ખાસ વાત તો એ છે કે અહીંના લોકો ફક્ત જમીન સ્તરની નહીં પણ મુદ્દાના મૂળ સુધી જાય છે. રાહુલના આ નિવેદનના કારણે દેશમાં ઉત્તર વિરોધ દક્ષિણની લડાઈ શરૂ થઈ છે.