બિહાર વિધાનસભા પરિસરમાં દારુની ખાલી બોટલો મળતા મામલો ગરમાયો છે. આ મુદ્દે હવે મોટી રાજનીતિ શરુ થઈ છે. પૂર્વ ડેપ્યુટી સીએમ અને આરજેડી ધારાસભ્ય તેજસ્વી યાદવે સીએમ નીતિશ કુમારના રાજીનામાની માગ કરી છે. તેમણે કહ્યું કે વિધાનસભા પરિસરમાં દારુની ખાલી બોટલો મળતા મુખ્યમંત્રીએ રાજીનામુ આપી દેવું જોઈએ.
अदभुत! बिहार विधानसभा परिसर के अंदर में शराब की बोतलें बरामद।
अभी शीतकालीन सत्र चल रहा है। CM के चेंबर से मात्र चंद कदम की दूरी पर विभिन्न ब्रांड की शराब ही शराब उपलब्ध।
कड़ी सुरक्षा के बीच चालू सत्र में ही विधानसभा में शराब मिल रही है, शेष बिहार की आप बस कल्पना कीजिए! शर्मनाक! pic.twitter.com/v1Sj2kiBkK
ચાલુ વિધાનસભામાં દારુની બોટલો મળે છે તો પછી બાકીના બિહારની કલ્પના કરો-તેજસ્વી યાદવ
તેજસ્વી યાદવે લખ્યું કે કડક સુરક્ષાની વચ્ચે ચાલુ વિધાનસભામાં દારુની બોટલો મળે છે તો પછી બાકીના બિહારની કલ્પના કરો. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ હવે રાજીનામું આપી દેવું જોઈએ. તેમણે કહ્યું કે આ ઘણો ગંભીર મામલો છે. આખા બિહારમાં દારુ મળી રહ્યો છે રાજ્યમાં સંપૂર્ણ દારુબંધી હોવી જોઈએ. તેજસ્વીએ આ મુદ્દો વિધાનસભામાં પણ ઉઠાવ્યો હતો અને જણાવ્યું કે સીએેમ નીતિશે હવે હોદ્દા પર રહેવાનો કોઈ અધિકાર નથી.
I asked him (Dy CM), he said that bottles of liquor were found somewhere on this campus. This is extremely bad. How can this be tolerated? I say this before the Speaker, if he permits I'll ask everyone to examine it today itself: Bihar CM in Assembly
દારુબંધી અંગે બે ધારાસભ્યો બાખડ્યા
બિહાર વિધાનસભાના શિયાળુ સત્રનો આજે બીજો દિવસ છે. પરંતુ ગૃહની કાર્યવાહી શરુ થતા પહેલા રાજકીય ગરમાવો આવ્યો છે. દારુબંધીના મુદ્દે વિધાનસભામાં બે ધારાસભ્યો બાખડ્યાં હતા. આરજેડી ધારાસભ્ય ભાઈ વિરેન્દ્ર અને ભાજપ ધારાસભ્ય સંજય સરાગવીની વચ્ચે જોરદાર ચડસાચડસી થઈ હતી.