બિહારની શાસક પાર્ટી જેડીયુના સંસદીય બોર્ડના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહાએ એક સ્ટેટમેન્ટ આપીને રાજનીતિમાં ચર્ચા ઉપાડી છે.
બિહારમાં મહાગઠબંધનમાં તિરાડના સંકેત
જેડીયુના દિગ્ગજ નેતા ઉપેન્દ્ર કુશવાહાનું સંકેત
હું ભાજપમાં જવાનો નથી, જેડીયુના મોટા નેતાઓ ભાજપના સંપર્કમાં
ભાજપમાં જવાનો કે છોડવાનો નીતિશનો રેકોર્ડ
શું બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરી એકવાર યુ-ટર્ન લઈને ભાજપમાં પાછા જવાનું વિચારી રહ્યા છે? જનતા દળ (યુનાઇટેડ) પાર્લામેન્ટરી બોર્ડના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાના નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં આ ચર્ચા શરૂ થઈ છે. કુશવાહાએ કહ્યું કે, "એવું તારણ કાઢવામાં આવી રહ્યું છે કે હું ભાજપના નેતાઓને મળ્યા બાદ ભાજપના સંપર્કમાં છું, પરંતુ અમારી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ભાજપના નેતાઓના સંપર્કમાં છે.
Meeting a BJP leader doesn’t really mean I’m going to join BJP. These are baseless rumours. I met him in hospital, no need to politicise it. I’m in JD(U), JD(U) is getting weaker but I will keep working to strengthen it: Upendra Kushwaha, JD(U) National Parliamentary Board Chief pic.twitter.com/LrzYpPUykC
બે ત્રણ વાર ભાજપના સંપર્કમાં આવીને ગઈ છે પાર્ટી
ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે ભાજપના નેતાઓ સાથેની મારી મુલાકાતની તસવીર સામે આવ્યા બાદ મોટી મોટી વાતો કહેવામાં આવી રહી છે. શું તેનો કોઈ અર્થ છે? કોઈપણ વ્યક્તિ કોઈની પણ સાથે વ્યક્તિગત સંબંધ બનાવી શકે છે. મારી પાર્ટી જનતા દળ (યુનાઇટેડ) બે-ત્રણ વખત ભાજપના સંપર્કમાં આવી હતી અને પછી બહાર આવી હતી. પાર્ટી પોતાની રણનીતિ અનુસાર જે જરૂરી હોય તે કરે છે. હું જેડીયૂમાં રહીશ કે નહીં તેનો નિર્ણય હું જ કરી શકું છું.
શું નીતિશ કુમાર ભાજપના સંપર્કમાં છે?
ઉપેન્દ્ર કુશવાહા નીતિશ કુમાર ભાજપના સંપર્કમાં હોવાના સંકેત આપી રહ્યા હતા કે કેમ તે અંગે અટકળો ચાલી રહી છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર અને રામચરિત્ર માનસ પર આરજેડીના નેતાઓની ટિપ્પણીને લઈને જેડીયૂ અને તેના વર્તમાન સહયોગી રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતાઓ વચ્ચે જે પ્રકારની નિવેદનબાજી ચાલી રહી છે, તેનાથી લાગે છે કે બંને પક્ષો વચ્ચે તિરાડ પડી ગઈ છે. આવી સ્થિતિમાં નીતિશકુમાર ફરી યુ ટર્ન લેશે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.