JDUનાં રાષ્ટ્રીય અધ્યક્ષ લલનસિંહે સોમવારે મોટો દાવો કરતાં કહ્યું કે ઉપેન્દ્ર કુશવાહા પાર્ટીમાં કોઈ પદ પર નથી. તે માત્ર MLC છે અને સંસદીય બોર્ડનાં અધ્યક્ષનું પદ ખાલી છે.
JDUનાં રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહનું નિવેદન
ઉપેન્દ્ર કુશવાહા પાર્ટીમાં કોઈ પદ પર નથી- લલન સિંહ
નીતીશ કુમારે પણ કર્યાં હતાં કુશવાહા પર પ્રહારો
JDUમાં ઉપેન્દ્ર કુશવાહાને લઈને પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે ફરી એકવાર મોટો દાવો કર્યો છે. લલન સિંહ JDU સંસદીય બોર્ડનાં અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાને લઈને કહ્યું છે કે તે પાર્ટીમાં કોઈપણ પદ પર નથી.
'હાલમાં પોસ્ટ ખાલી છે'
JDU સંસદીય બોર્ડનાં અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાને લઈને કહ્યું છે કે તે પાર્ટીમાં કોઈપણ પદ પર નથી. હાલમાં તે પોસ્ટ ખાલી છે. પાર્ટીમાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થઈ છે પરંતુ કેન્દ્રીય કમિટીનું ગઠન થયું નથી. કુશવાહા હવે માત્ર MLC છે.
જે નિર્ણય લેવો છે તે પોતે જ લે કુશવાહા- નીતીશ
સીએમ નીતીશ કુમારે કુશવાહા પર કહ્યું કે તે પાર્ટીમાં રહીને બેફામ નિવેદનો આપી રહ્યાં છે. તેમને મેં અનેકવાર મોકો આપ્યો છે, ઘણી વાર પાર્ટીમાં આવ્યાં અને ગયાં તેમ છતાં મેં તેમને સમ્માન આપ્યું છે. પરંતુ છેલ્લા 2 મહિનાઓથી તેઓ જે રીતે નિવેદનો કરી રહ્યાં છે તે કોઈનાં ઈશારા પર થઈ રહ્યું છે. તમે બધું જાણો જ છો.
'જે નિર્ણય લેવો હોય તે પોતે જ લે...'
બીજેપી પર નિશાન સાધતાં નીતીશે કહ્યું કે 'જો કોઈ કોઈકનો પ્રચાર આ રીતે કરી રહ્યું છે તો સમજી જાઓ કે ખેલ ક્યાંથી રમવામાં આવી રહ્યો છે. ઉપેન્દ્ર કુશવાહા પર કહ્યું કે વર્તમાનમાં પાર્ટી તેમના ઉપર કોઈ નિર્ણય નથી લઈ રહી, તેમને જે નિર્ણય લેવો હોય તે પોતે જ લે...'