NDA સરકારમાં ક્યારે નરેન્દ્ર મોદીના સહયોગી રહેલ રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી(RLSP)ના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે, એક્ઝિટ પોલનો અસ્વિકાર કરીએ છીએ. તેમણે વધુમાં કહ્યું કે, મહાગઠબંધનના સમર્થકોને નીચા દેખાડવા માટે એક્ઝિટ પોલનો સહારો લેવામાં આવી રહ્યો છે. કુશવાહે હિંસાની ધમકી આપતા કહ્યું કે, લોકોમાં એટલો આક્રોશ છે.
Upendra Kushwaha, RLSP in Patna: Vote ki raksha ke liye zaroorat pade toh hathiyaar bhi uthana ho toh uthaiye. Aaj jo result loot ki jo ghatna karne ki jo koshish ho rahi hai toh isko rokne ke liye hathiyaar bhi uthana ho toh uthana chahiye. #LokSabhaElections2019 pic.twitter.com/g29bsWGyre
— ANI (@ANI) May 21, 2019
જો કોઇ ખુન- ખરાબો થાય તો તેના જવાબદાર માત્રને માત્ર નીતિશ કુમાર અને કેન્દ્ર સરકાર રહેશે. કુશવાહે કહ્યું કે, મતગણતરીના દિવસે અમારા સમર્થકો અને જનતા તૈયાર છે કારણ કે લોકો કાઇપણ કરી શકે છે. આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, રિઝલ્ટમાં કોઇપણ ગરબડી થવાનું દેખાયું તો રસ્તાઓ પર લોહી વહી શકે છે.
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ મદન મોહન ઝાએ કહ્યું કે, એક્ઝિટ પોલ દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી શકે છે. જો કે, સચ્ચાઇ એક્ઝિટ પોલના આંકડાઓથી ઘણી દુર છે. તેમણે કહ્યું કે, સ્ટ્રોંગ રૂમની સુરક્ષા મજબુતીથી કરવામાં આવે.