1 લી એપ્રિલથી વિવિધ ચીજ વસ્તુનાં ભાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ટોલ ટેક્સમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે આ બાબતે કોંગ્રેસે જણાવ્યું છે કે સામાન્ય અને ગરીબ લોકો મોંઘવારીથી પરેશાન છે. ક્રૂડ ઓઈલનાં ભાવ ઘટે છે પરંતું પેટ્રોલ ડીઝલનાં ભાવ ઘટતા નથી. ટ્રાન્સપોર્ટેશનમનાં વધારો થશે જે ના થાય તેવી કોંગ્રેસની માંગ છે.
અમદાવાદ-વડોદરાની સવારી થશે મોંધી
એક્સપ્રેસ વેના ટોલ ટેક્સમાં વધારો
સામાન્ય અને ગરીબ લોકો ને મોંઘાવારી થી પરેશાન : કોંગ્રેસ
અમદાવાદ-વડોદરાની સવારી થશે મોંઘી કારણ કે એક્સપ્રેસ વે ના ટોલ ટેક્સમાં વધારો થયો છે. જેમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર વિવિધ પ્રકારનાં વાહનો માટે ટોલ ટેક્સમાં ફી માં વધારો થવા પામ્યો છે. વડોદરાથી અમદાવાદનાં કારનાં ટોલ ટેક્સમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં હવેથી કાર, જીપ, વાન અને LMV પ્રકારના વાહનોને અમદાવાદથી વડોદરા ટોલ ટેક્ષ સીંગલ 135 અને રીટર્ન 200 રૂપિયા થશે. તેમજ અમદાવાદથી નડિયાદનીં સીંગલ ટ્રીપ માટે રૂા.65 અને રીટર્ન ટ્રીપનાં રૂા.95 થશે. અમદાવાદથી આણંદનાં સીંગલ ટ્રીપ રૂા.85 અને રીટર્ન ટ્રીપ રૂા.125 થશે. આ ભાવ વધારાની જાહેરાત કરાતા કોંગ્રેસે વધતા ભાવને લઈ કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે મોંઘવારીથી લોકો પરેશાન છે, દરેક વસ્તુમાં ભાવ વધારો થાય છે. સામાન્ય અને ગરીબ લોકોને મોંઘવારીથી પરેશાન થતા હોય છે. કોંગ્રેસે વધુમાં જણાવ્યું હતું કે ક્રૂડ ઓઈલના ભાવ ઘટે છે પરંતું પેટ્રોલ ડીઝલના ભાવ ઘટતા નથી. ટ્રાન્સપોર્ટેશનમાં વધારો થશે જે ના થાય તેવી કોંગ્રેસની માંગ છે.
દેશનાં નાગરિકો માટે હવે પરિવહન પણ મોંઘું થતું જશે
આ બાબતે કોંગ્રેસનાં પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, એક તરફ બેફામ મોંઘવારી તેમજ બીજી તરફ આવકનાં ઘટતા જતા સ્ત્રો અને આર્થિક સંકળામણમાં પારાવારા હાલાકી ભોગવી રહેલા દેશનાં નાગરિકોને અને ગુજરાતનાં નાગરિકોને કઈ રીતે પોતે પરિવહન કરી શકે તે પણ હવે મુશ્કેલ અને મોંઘું થતું જશે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટોલ ટેક્સમાં 10 થી 15 ટકાનો વધારો થવાનો છે. એટલે કે અમદાવાદથી વડોદરા જવાનાં પહેલા જે પૈસા ચૂકવવા પડતા હતા તેમાં 15 થી 20 ટકાનો વધારો થશે. એટલે કે સીંગલ ટોલ જે છે 135 રૂપિયા થશે. તેમજ રિટર્નનાં 200 રૂપિયા થશે. અમદાવાદથી નડિયાનીં સીંગલ ટ્રીપ માટે 65 રુપિયા અને સીંગલ ટ્રીપનાં 95 રૂપિયા થશે.
1 લી એપ્રિલથી વિવિધ પ્રકારનાં ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે
ત્યારે આ ભાવ વધારાનાં કારણે સમગ્ર પરિવહન મોંઘું થશે. અને અન્ય વાહનો માટે પણ આ મોંઘવારીનો માર અંતે તો સામાન્ય જનતા ઉપર જ આવવાનો છે. આ એકમાત્ર નેશનલ હાઈવેનાં ટોલ ટેક્સની વાત કરૂ. પણ દેશની અંદરના તમામ નેશનલ હાઈવે પર જે ટોલ છે તે ટોલ પર જે ટેક્સ વસુલાત છે એમાં 10 થી 15 ટકાનો વધારો 1 લી એપ્રિલથી થઈ રહ્યો છે. 1 લી એપ્રિલથી જે વિવિધ પ્રકારનાં ભાવ વધારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે કેન્દ્રની સરકારે દેશની જનતાને અચ્છે દિનનો વાયદો કર્યો હતો. ત્યારે આપણને ખબર પડે છે કે અચ્છે દિનની વાસ્તવિક વાત ચૂંટણી સભામાં જે અચ્છે દિન હતા તે વ્યાખ્યા અલગ હતી. અને હકીકતમાં અચ્છે દિન એટલે દરેક ચીજ વસ્તુમાં મોંઘવારી એ પછી તમારે જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ ખરીદો તેમાં મોંઘવારી, તમે જ્યાં જશો ત્યાં ટોલ આવશે ત્યાં ટેક્સમાં પણ વધારો, તમે બેંકીંગ ક્ષેત્રમાં જશો એનો પણ ટેક્સ વધારો, આમ સમગ્ર દ્રષ્ટિએ સામાન્ય માણસને જીવનુ જીવવું મુશ્કેલ થશે.