જો તમે પણ તમારા ઇપીએફ ખાતામાંથી પૈસા ઉપાડવાનું વિચારી રહ્યાં છો અથવા જો તમારે ખાતાની ડિટેલ્સ અપડેટ કરવાની હોય તો હવે તમે ખૂબ જ સરળતાથી આ કામ કરી શકો છો.
PF ખાતાધારકો માટે કામના સમાચાર
ફટાફટ આ ડિટેલ્સ અપડેટ કરાવી લો
નહીંતર પૈસા ઉપાડી નહીં શકો
તમને જણાવી દઈએ કે, જો તમે તમારા બેંક ખાતાની વિગતો અપડેટ નહીં કરાવો તો તમે એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી નહીં શકો. ચાલો તમને જણાવીએ કે તમે વિગતોને કેવી રીતે અપડેટ કરી શકો છો અને આ એકાઉન્ટના ફાયદા શું છે.
ઇપીએફ શું છે?
કર્મચારી ભવિષ્ય નિધિ હેઠળ કર્મચારીઓને તેમના પગારમાંથી ઓછામાં ઓછા 12 ટકા જમા કરવાના હોય છે. એમ્પ્લોયર પણ સમાન રકમ કર્મચારીના ઇપીએસમાં જમા કરે છે. જોકે, જોકે, કર્મચારીઓ પોતાના ઇપીએફ યોગદાનમાં 12 ટકાથી વધુનું રોકાણ કરી શકે છે. આ યોગદાન કર્મચારીના નિવૃત્તિ ફંડમાં આપવામાં આવે છે. 58 વર્ષની વય પછી ઇપીએફ ફંડની આખી રકમ ઉપાડી શકાય છે. જોકે, મેડિકલખર્ચ, ઘર બનાવવા, શિક્ષણ વગેરે માટે આંશિક રકમ ઉપાડવાની જોગવાઈ છે. ઇપીએફ પર ટેક્સમાં છૂટનો ફાયદો છે. તે EEE કેટેગરીમાં આવે છે.
ઇપીએફ ખાતામાં બેંક વિગતો અપડેટ કરો
સૌથી પહેલાં ઇપીએફઓ સભ્યએ એકીકૃત સભ્ય પોર્ટલ (https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/) પર જવું પડશે.
અહીં તમારે યુઝરના નામ અને પાસવર્ડ સાથે લોગઈન કરવું પડશે.
તે પછી તમારે 'મેનેજ કરો' ટેબ પર ક્લિક કરવું પડશે.
એપછી ડ્રોપ ડાઉન મેનુમાંથી 'KYC' પસંદ કરો.
હવે તમારી બેંક પસંદ કરો અને બેંક એકાઉન્ટ નંબર, નામ અને આઈએફએસસી કોડ દાખલ કરો અને 'સેવ' પર ક્લિક કરો.
હવે આ જાણકારી એકવાર એમ્પ્લોયર દ્વારા મંજૂર કરાયા બાદકેવાયસી વિભાગમાં દેખાશે.
આ રીતે તમારા નવા બેંક ખાતાની માહિતી ઇપીએફ એકાઉન્ટ સાથે અપડેટ કરવામાં આવશે.
ઇપીએફ ખાતા પર પણ ગ્રાહકોને ઘણા ફાયદા મળે છે
વીમા સુવિધા
કર્મચારી ડિપોઝિટ લિંક્ડ વીમા હેઠળ કર્મચારીને 6 લાખ રૂપિયા સુધીનો વીમો મળે છે. ઇપીએફઓના સક્રિય સભ્યની સેવા અવધિ દરમિયાન તેના નામાંકિત અથવા કાનૂની વારસદારને 6 લાખ રૂપિયા સુધીની ચુકવણી કરવામાં આવે છે. આ લાભ કંપનીઓ અને કેન્દ્ર સરકાર દ્વારા તેમના કર્મચારીઓને આપવામાં આવે છે.
ટેક્સમાં લાભ
તમને જણાવી દઈએ કે, જૂની કર પ્રણાલીમાં ટેક્સમાં છૂટ મળે છે. ઈપીએફ ખાત ધારકો તેમના પગાર પરના ટેક્સ પર આવકવેરાની કલમ 80સી હેઠળ 12 ટકા સુધીનોની બચત કરી શકે છે.
પેન્શન સુવિધા
પીએફ ખાતામાં જમા કરાયેલા કન્ટ્રીબ્યૂશનમાંથી 8.33% યોગદાન કર્મચારી પેન્શન સ્કીમમાં જાય છે. જે નિવૃત્તિ પછી પેન્શન તરીકે પ્રાપ્ત થાય છે. પેન્શન એ વ્યક્તિના વૃદ્ધાવસ્થામાં સૌથી મોટો ટેકો છે. જેના માટે સરકાર અનેક યોજનાઓ પણ ચલાવે છે.