ભારતમાં કોરોના વાયરસના પીડિતોની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે, દેશમાં સતત સંક્રમણના 5600થી વધારે કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5609 કેસ આવ્યા છે જ્યારે એક દિવસ પહેલાં 5611 કેસ આવ્યા હતા. આ સાથે જ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા 1,12,000 થઈ છે. સાથે જ કોરોનાથી મૃત્યુ પામનારાની સંખ્યા 3435 થઈ છે. વધારે પ્રભાવિત રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં સૌથી વઘુ કોરોના દર્દીઓ છે. અહીં 24 કલાકમાં 65 નવા મોત થયા છે અને મૃતકોની સંખ્યા 1390 થઈ છે.
બીજા નંબરે તમિલનાડુ
અહીં એક દિવસમાં સૌથી વધારે એટલે કે 743 લોકો સંક્રમિત મળ્યા છે. સાથે રાજ્યમાં પીડિતોનો આંક 13000ને પાર થયો છે. ત્રીજા નંબરે 12000થી વધુ કેસ સાથે ગુજરાત છે. અહીં એક્ટિવ કેસની સંખ્યા 6570 થઈ છે. તો 5219 લોકો સાજા થયા છે. તમિલનાડુ અને અન્ય રાજ્યોમાં મોતની તુલના કરવામાં આવે તો તમિલનાડુની સ્થિતિ સારી છે. ગુજરાતમાં હાલ સુધી 749 લોકોના મોત, દિલ્હીમાં 176 મોત તો તમિલનાડુમાં 88 લોકોના મોત થયા છે.
જાણો ક્યાં કેટલા કેસ?
યુપીમાં કુલ કેસની સંખ્યા 5175 થઈ છે, યુપીમાં હાલ એક્ટીવ કેસની સંખ્યા 1982 થઈ છે અને 3066 દર્દીઓ સાજા થયા છે. દિલ્હીમાં કુલ કેસની સંખ્યા 11,088 થઈ તો એક્ટીવ કેસની સંખ્યા 5720 થઈ છે. 5192 લોકો સાજા થયા છે. રાજસ્થાનમાં કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા 6015 થઈ છે અને એકટીવ કેસની સંખ્યા 2464 થઈ. રાજસ્થાનમાં 3404 લોકો સાજા થયા છે. મધ્યપ્રદેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 5735 થઇ છે. કુલ એકટીવ કેસની સંખ્યા 2734 થઈ છે અને સાથે જ 2734 લોકો સાજા થયા છે. તમિલનાડુમાં કુલ કેસની સંખ્યા 13,191 થઈ તો એક્ટીવ કેસ 7221 છે. અત્યાર સુધીમાં 5882 લોકો સાજા થયા છે. પશ્ચિમ બંગાળમાં કુલ કેસ 3103, આંધ્રપ્રદેશમાં 2560 કેસ, પંજાબમાં 2002, તેલંગાણામાં 1634 પોઝિટિવ કેસ, બિહારમાં 1607, કર્ણાટકમાં 1462 પોઝિટિવ કેસ, જમ્મૂ કશ્મીરમાં 1390, ઓડિશામાં 1052 પોઝિટિવ કેસ નોંધાયા છે.
ભારત માટે રાહતના સમાચાર
ભારત માટે સારા સમાચાર એ છે કે અહીં કુલ દર્દીમાંથી 40 ટકા દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 3113 લોકો ડિસ્ચાર્જ કરાયા છે અને એક્ટિવ કેસની સંખ્યા 1,12, 359 છે.
With 5,609 new cases, India's COVID-19 tally reaches 1,12,359
દેશભરમાં લૉકડાઉનને રાહત આપવામાં આવી છે ત્યારે સામાન્ય લોકોને રોજિંદા જીવનમાં છૂટ આપવામાં આવી છે. લોધી ગાર્ડનમાં લોકો વોક માટે ફરતા જોવા મળ્યા હતા.
આંઘ્રપ્રદેશમાં બસ સેવા શરૂ, રેડ ઝોનમાં નહીં રોકાય
આજથી અહીં બસ સેવા શરૂ કરવામાં આવી છે. કૃષ્ણા જિલ્લામાં 38 રૂટ પર 106 બસ શરૂ કરવામાં આવી છે. આ દરેક બસ હાલમાં ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં જ ચાલશે. રેડ ઝોનમાં તેનું સ્ટોપ રાખવામાં આવશે નહીં.
1 જૂનથી 200 ટ્રેન શરૂ થશે, બુકિંગ આજથી શરૂ
1 જૂનથી 200 ટ્રેન શરૂ કરવામાં આવશે. આ ટ્રેનમાં એસી અને નોન એસી બંને ટ્રેનનો સમાવેશ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજે સવારે 10 વાગ્યાથી આ ટ્રેન માટેનું બુકિંગ શરૂ થશે. પરંતુ આ ટ્રેનના બુકિંગના નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.
ચક્રાવાત અમ્ફાનનો કહેર
ચક્રાવાતી વાવાઝોડું અમ્ફાન બંગાળ અને ઓરિસ્સામાં હોનારત ફેલાવી રહ્યું છે. અનેક જગ્યાઓએ ઝાડ પડ્યા છે અને દીવાલ પણ પડી છે. બંગાળના સીએમ મમતા બેનર્જીએ જણાવ્યું છે કે અહીં અમ્ફાનના કારણે 10થી 12 લોકોના મોતની જાણકારી મળી છે તો ઓરિસ્સામાં 3 લોકોના મોત નીપજ્યા છે.