Know Your Customer એટલે કે KYC હેઠળ ગ્રાહકોને પોતાની ઓળખ અને એડ્રેસનું પ્રમાણ આપવાનું હોય છે.
1 જાન્યુઆરી પહેલા કરાવી લેજો KYC
નહીં તો બંધ થઈ જશે તમારૂ એકાઉન્ટ
RBIએ જાહેરા કરી હતી નોટિફિકેશન
થોડા દિવસોમાં જ નવું વર્ષ શરૂ થઈ જશે. નવા વર્ષ પર કેલેન્ડર બદલવાની સાથે સાથે રોજીંદા જીવનમાં પણ ઘણા ફેરફાર જોવા મળશે. ખાસ કરીને ફાઈનાન્સને લગતી ઘણી વસ્તુઓમાં ફેરફાર થઈ જશે. આ ફેરફારની એક કડીએ પણ છે કે તરત પોતાના બેન્ક ખાતાને અપડેટ કરી લો અને ખાસ કરીને KYC અપડેટ તો જરૂર કરાવી લો. કારણ કે 1 જાન્યુઆરી 2022થી જે ખાતાનું KYC અપડેટ નથી થયું તેને બેન્ક સીઝ કરી શકશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ KYCને લઈને બેન્કોને કડક પગલાં ભરવા કર્યું છે.
માટે હવે તમારી પાસે સમય નથી. જો તમે બેન્ક ખાતામાં KYC અપડેટ નથી કર્યું તો આ કામને ફટાફટ કરાવી લો. નહીં તો નવા વર્ષમાં તમે પોતાના બેન્ક ખાતા સાથે જોડાયેલા ઘણા ટ્રાન્ઝેક્શન નહીં કરી શકો. ભારતીય રિઝર્વ બેન્ક એવા દરેક ખાતાધારકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા જઈ રહ્યું છે. જેણે 31 ડિસેમ્બર, 2021 સુધી પોતાનું KYC નથી કરાવ્યું.
દરેક 2 વર્ષમાં KYC કરાવવું જરૂરી
KYC (Know Your Customer) હેઠળ ગ્રાહકોએ પોતાની ઓળખ અને સરનામાનું પ્રૂફ આપવાનું હોય છે. ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શ માટે KYCની જરૂર પડે છે. માટે બેન્કને ગ્રાહકો વિશે અપડેટ જાણકારી મળતી રહે છે. વધુ જોખમી ખાતાધારકોને દર બે વર્ષમાં KYC કરાવવું પડે છે. જ્યારે ઓછા જોખમી ખાતા માટે 10 વર્ષમાં 1 વખત KYC કરાવવું પડે છે. લાંબા સમય સુધી નિષ્ક્રિય બેન્ક ખાતાને ફરી એક્ટિવ કરાવવા માટે પણ KYC અપડેટ કરાવવાની જરૂર પડે છે.
RBIની ગાઈડલાઈન
RBIએ આ વર્ષે મે મહિનામાં દરેક બેન્કને એક સર્કુલર મોકલ્યું હતું. સર્કુલરમાં RBIએ જણાવ્યું હતું કે 'દેશના વિવિધ ભાગોમાં હાજર કોવિડ સંબંધિત પ્રતિબંધોને ધ્યાનમાં રાખતા, રેગ્યુલેટેડ એન્ટિટીઝને સલાહ આપવામાં આવી રહી છે કે ગ્રાહકોના ખાતા સંબંધમાં જ્યાં KYCનું અપડેશન કરવામાં આવે છે અને આ વિલંબિત છે એવા ખાતાના સંચાલન પર આ કારણથી 31 ડિસેમ્બર 2021 સુધી ઘણા પ્રતિબંધ નહીં લગાવવામાં આવે. જોકે કોઈ નિયામક/ પ્રવર્તન એજન્સી/ ન્યાયાલયના નિર્દેશો હેઠળ પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે.'