જો તમે તમારા પીએફ ખાતામાં બેંક વિગતોની માહિતી અપડેટ કરવા માંગો છો, તો આ માટે EPFO ઓફિસની મુલાકાત લેવી જરૂર નથી.
PF ખાતામાં અપડેટ કરો આ ડિટેલ્સ
બેન્ક જવાની જરૂર નથી
ઘરે બેઠા જ થઈ જશે કામ
પીએફ એ દરેક પગારદાર વ્યક્તિના જીવનની જમાપૂંજી છે. નિવૃત્તિ પછી, લોકોને પીએફમાં જમા પૈસા મળે છે જેથી તેઓ પોતાનું ભાવિ જીવન આરામથી પસાર કરી શકે. આજે અમે તમને PF ખાતામાં વ્યાજ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ.
જો તમે EPF ખાતામાં તમારી બેંક વિગતો અપડેટ કરવા માંગો છો, તો આ કામ જલદી કરો. નહિંતર તમે ખાતામાં વ્યાજના નાણાંનો લાભ મેળવી શકશો નહીં. આ ઉપરાંત, જો તમારી પાસે ખાતામાં બેંકની સાચી માહિતી નથી. તો તમારે પીએફ ઉપાડતી વખતે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
ઘરે બેઠા માહિતી કરો અપડેટ
જો તમે તમારા પીએફ ખાતામાં બેંક વિગતો અપડેટ કરવા માંગો છો, તો તમારે આ માટે EPFO ઓફિસની મુલાકાત લેવાની જરૂર નથી. તમે ઘરે બેઠા ઓનલાઈન માહિતી અપડેટ કરી શકો છો. આ માટે, ફક્ત એકાઉન્ટ ધારક પાસે યુનિવર્સલ એકાઉન્ટ નંબર અથવા UAN નંબર હોવો જોઈએ.
કોઈપણ ખાતાધારક માટે UAN નંબર બદલાતો નથી. નોકરી બદલવા પર યુનિવર્સલ એકાઉન્ટ નંબર અથવા UAN નંબર એક જ રહે છે. જો તમે પણ તમારા પીએફ ખાતામાં બેંક વિગતો અપડેટ કરવા માંગો છો તો આ સિમ્પલ સ્ટેપથી કરી શકો છો.
આ રીતે EPFO ખાતામાં દાખલ કરો બેન્ક ડિટેલ્સ
બેન્કની માહિતીને અપડેટ કરવા માટે તમે https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર ક્લિક કરી શકો છો.
ત્યાર બાદ અહીં તમારા પીએફ ખાતા પર લોગઈન કરો.
અહીં તમને Manage ટેબ જોવા મળશે જેમાં KYC ઓપ્શન પર ક્લિક કરો.
ત્યાર બાદ ડોક્યુમેન્ટના ઓપ્શનમાં બેન્કનું નામ નોંધો. ત્યાર બાદ બેન્ક ખાતામાં તમારૂ નામ, IFSC કોડ અને એકાઉન્ટ નંબર નાખો.
ત્યાર બાદ આ બધી જાણકારીને એક વખત ફરી સેવ કરી દો.
બેન્ક ડિટેલ્સની જાણકારી કંપની કરાવશે વેરીફાઈ
આ ડેટાને સેવ કર્યા બાદ તેના સાથે જોડાયેલા બધા ડોક્યુમેન્ટ્સ જેવા કે બેન્ક ખાતાની પાસબુક વગેરે તમારે કર્મચારી નિધિ સંગઠનમાં જમા કરવાની રહેશે. ત્યાર બાદ તે વેરીફાઈ કરવામાં આવશે. વેરિફિકેશનની પ્રક્રિયા પુરી થયા બાદ ખાતાધારકને મોબાઈલ નંબર પર આ વાતનું Confirmation આવશે. ત્યાર બાદ KYCની પ્રક્રિયા પુરી કરવામાં આવશે.