શ્રાવણ મહિનો શિવજીને અત્યંત પ્રિય છે. કહેવાય છે કે આ મહિનામાં શિવજીને પ્રસન્ન કરવા સરળ હોય છે.
શ્રાવણમાં શિવજીને કરો પ્રસન્ન
આ ઉપાયોથી પ્રસન્ન થશે ભોળાનાથ
આપશે ઈચ્છા અનુસાર ફળ
હિન્દૂ કેલેન્ડરના હિસાબથી હાલ અષાઢ માસ ચાલી રહ્યો છે. અષાઢ માસની પૂર્ણિમા બાદ શ્રાવણના મહિનાની શરૂઆત થશે. શ્રાવણના મહિનાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ મહિનો શિવ અને માતા પાર્વતીના મિલનનો હોય છે. આ મહિનામાં શિવજી અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. દરેક જગ્યા પર ભોલેનાથની ગુંજ સંભળાય છે.
શ્રાવણનો મહિનો 14 જુલાઈથી શરૂ થશે. કહેવાય છે કે આ મહિનામાં સાચ્ચા મનથી મહાદેવની પૂજા અર્ચના કરવાથી તમારી મનોકામના જરૂર પુરી થશે. જ્યોતિષ શાસ્ત્રમાં શ્રાવણ મહિનામાં સુખ-શાંતિ, સમૃદ્ધિ અને આર્થિક મુશ્કેલીઓથી છુટકારો મેળવવાના તમામ જ્યોતિષી ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે.
દાંપત્ય જીવનની સમસ્યાઓ દૂર કરવા અપનાવો આ ઉપાય
દાંપત્ય જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હોય. તેનું સમાધાન સરળતાથી શ્રાવણ મહિનામાં કરી શકાય છે. આ મહિનામાં શિવજીનું માતા પાર્વતીની સાથે પુનઃમિલન થયું હતું. એવામાં પતિ અને પત્ની મળીને આખા શ્રાવણ મહિનામાં જો શિવલિંગનો જળાઅભિષેક કરે તો તેમની કામના જરૂર પુરી થઈ જાય છે અને તેમના દાંપત્ય જીવનું દરેક સંકટ દૂર થઈ જાય છે. માસિક ધર્મ વખતે આ કામ ફક્ત પતિ જ કરે પરંતુ પ્રભુ પાસે બન્નેની તરફથી જલાભિષેક સ્વીકાર કરવાની પ્રાર્થના કરે.
આર્થિક સમસ્યા દૂર કરવા માટે
આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટે શ્રાવણના મહિનામાં શિવલિંગની સ્થાપના કરો અને રોજ તેમની પૂજા કરો. તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે. ત્યાં જ નોકરીમાં પ્રગતિ માટે શ્રાવણના મહિનાની શિવરાત્રી પર માતા પાર્વતીને ચાંદીના વિંછિયા અથવા પાયલ અર્પિત કરો. મહિલાઓ સાથે સુહાગનો સામાન પણ અર્પિત કરી શકે છે. તે ઉપરાંત બળદને લીલુ ઘાંસ ખવડાવો.
રોગથી છૂટકારો મેળવવા માટે
જો કોઈ રોગ ખૂબ જ પરેશાન કરી રહ્યો છે અથવા દવા કામ નથી કરી રહી તો શ્વાણના કોઈ પણ સોમવારે શિવજીનો સરસવના તેલથી રૂદ્રાભિષેક કરો અને તેમના પંચાક્ષર મંત્ર "ઓમ નમઃ શિવાય"નો જાપ કરો. તેનાથી રોગ અને ઘણા પ્રકારના દોષ દૂર થશે.
શનિ સાથે જોડાયેલી સમસ્યાઓ માટે
જો જીવનમાં શનિનો પ્રકોપ છે તો શ્રાવણમાં કલશમાં જળ ભરીને તેમાં કાળા તલ નાખીને શિવજીને અર્પિત કરો અને પંચાક્ષર મંત્રની ઓછામાં ઓછી એક માળાનો જાપ કરો. તેનાથી ખૂબ લાભ થશે. તેનાથી તમારૂ દુર્ભાગ્ય પણ દૂર થશે.