UPAએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ચોથી વખત રાયબરેલીથી ઉમેદવારી પત્ર ભર્યુ. આ પહેલાં તેઓએ રોડ શો કર્યો, આ દરમિયાન રાહુલ-પ્રિયંકા પણ તેમની સાથે જ હતા. ઉમેદવારી પત્ર દાખલ કર્યા બાદ સોનિયાને સવાલ કરાયો કે શું તમે નરેન્દ્ર મોદીને અજેય સમજો છો, જેનો જવાબ આપતાં તેઓએ કહ્યું કે 'આવું બિલકુલ નથી.' તેઓએ કહ્યું કે, '2004 ન ભૂલવામાં આવે. ત્યારે વાજપેયીજી પણ અજેય હતા, પરંતુ જીત અમારી થઈ હતી.' સોનિયા ગાંધી આ સીટ પરથી 2004થી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ વખતે તેમની ટક્કર એક સમયે કોંગ્રેસમાં રહેલા દિનેશ પ્રતાપ સિંહ સાથે થશે. દિનેશને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે.
UPA Chairperson Sonia Gandhi on if she thinks PM Narendra Modi is invincible: Not at all. Don't forget 2004. Vajpayee Ji was invincible, but we won pic.twitter.com/0teDBtQ24G
સોનિયા ગાંધીને ઉમેદવારી પત્ર ભરતા પહેલા હવન કર્યુ, 1967થી ગાંધી પરિવાર પૂજા-પાઠ કર્યા પછી જ કલેક્ટરની પાસે ઉમેદવારી નોંધાવવા પહોંચે છે, સોનિયા ગાંધી પણ આ પરંપરાનું પાલન કરતા આવ્યા છે.
સપા-બસપા ગઠબંધને અહીં કોઈ ઉમેદવાર ઉતાર્યો નથી
રાયબરેલી સીટ પર સપા-બસપા ગઠબંધન દ્વારા ઉમેદવાર ઉતારવામાં આવ્યા નથી. આ સીટ પર પાંચમા તબક્કે 6મેના રોજ મતદાન થવાનું છે. સોનિયા ગાંધીએ વર્ષ 2004, 2006ની પેટા ચૂંટણી, 2009 અને 2014માં થયેલી લોકસભા ચૂંટણીમાં જીત મેળવી છે. વર્ષ 1957 પછી કોંગ્રેસે આ સીટ પરથી પેટા ચૂંટણી સહીત 19 વાર જીત મેળવી છે.
સીટ પરથી ત્રણ વાર હાર્યા ગાંધી પરિવારના ઉમેદવાર
આ સીટ પર કોંગ્રેસને 1977, 1996 અને 1998માં હારનો સામનો કરવો પડ્યો છે. ઈમરજન્સી પછી 1977માં ભારતીય લોક દળના નેતા રાજ નારાયણે તે સમયના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને હરાવ્યા હતા. જ્યારે 1996 અને 1998માં ભાજપના ઉમેદવાર અશોક કુમાર સિંહે આ સીટ પર જીત મેળવી હતી. અહીંથી ફિરોઝ ગાંધી, ઈન્દિરા ગાંધી, અરુણ નેહરુ, શીલા કૌલ અને સતીશ શર્મા ચૂંટણી લડી ચૂક્યા છે.