ઉત્તર પ્રદેશના બરેલીમાં વતન પરત ફરતા મજૂરોને સેનિટાઇઝરથી સ્નાન કરવામાં આવ્યું હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતી, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી સ્થાનિક વહીવટી તંત્રના આ પગલાની નિંદા કરી હતી. આ સાથે જ ત્રણેય નેતાઓએ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની પણ માગ કરી હતી. જો કે, જિલ્લા કલેક્ટરે આ મામલે કડક પગલા લેવાની વાત કરી હતી.
દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત
ઉત્તર પ્રદેશમાં મજૂરને સેનિટાઇઝરથી કરાવાયું સ્નાન
ઘટનાને દેશના વિવિધ નેતાઓએ વખોડી
બસપા અધ્યક્ષ માયાવતીએ જણાવ્યું કે, દેશમાં લોકડાઉન દરમિયાન અત્યાચારની અનેક ઘટનાઓ મીડિયામાં આવી રહી છે પરંતુ પ્રવાસી મજૂર સેનિટાઇઝરનો છંટકાવ કરી તેને દંડ આપવાની ક્રૂરતા અમાનવીય છે તેની જેટલી નિંદા કરવામાં આવે તેટલી ઓછી છે, આ મામલે સરકારે તાત્કાલિક અસરથી પગલા લેવા જોઇએ.
અખિલેશ યાદવે કર્યા પ્રહાર
તો આ તરફ સપાના અધ્યક્ષ અખિલેશ યાદવે સવાલ પૂછતા કહ્યું કે, 'મુસાફરોની સ્વચ્છતા માટે કરવામાં આવતા સેનિટાઇઝરના છંટકાવથી કેટલાક પ્રશ્નો ઉભા થયા છે કે શું આ માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તરફથી સૂચના આપવામાં આવી છે? કેમિકલ દ્વારા થઇ રહેલી બળતરા શું તેનો કાઇ ઇલાજ છે?
यूपी सरकार से गुजारिश है कि हम सब मिलकर इस आपदा के खिलाफ लड़ रहे हैं लेकिन कृपा करके ऐसे अमानवीय काम मत करिए।
मजदूरों ने पहले से ही बहुत दुख झेल लिए हैं। उनको केमिकल डाल कर इस तरह नहलाइए मत। इससे उनका बचाव नहीं होगा बल्कि उनकी सेहत के लिए और खतरे पैदा हो जाएंगे। pic.twitter.com/ftovaFHR5q
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) March 30, 2020
અમાનવીય કૃત્ય ન થવા દે સરકાર : પ્રિયંકા ગાંધી
માયાવતી અને અખિલેશ યાદવની સાથે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ અપીલ કરી હતી, 'યુપી સરકારને વિનંતી છે કે આપણે બધા આ આફત સામે લડી રહ્યા છીએ, પરંતુ કૃપા કરીને આવા અમાનવીય કૃત્યો ન કરો. કામદારોએ પહેલેથી જ ઘણી હાલાકી ભોગવી છે. કેમિકલ ઉમેરીને તેમને આ રીતે સ્નાન ન કરાવો. આવી ઘટનાઓથી તેમનો બચાવ નહીં થાય પરંતુ તેમના સ્વાસ્થ્યને લઇને સવાલ ઉભા થશે.
જિલ્લા કલેક્ટરે કાર્યવાહી કરવાની કરી વાત
इस वीडियो की पड़ताल की गई, प्रभावित लोगों का सीएमओ के निर्देशन में उपचार किया जा रहा है। बरेली नगर निगम एवं फायर ब्रिगेड की टीम को बसों को सैनेटाइज़ करने के निर्देश थे, पर अति सक्रियता के चलते उन्होंने ऐसा कर दिया। सम्बंधित के विरुद्ध कार्रवाई के निर्देश दिए गए हैं। https://t.co/y8TmuCNyu5
આ ઘટના અંગે જિલ્લા વહીવટી તંત્રએ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો છે. જિલ્લા અધિકારીએ જણાવ્યું હતું કે, જવાબદાર વ્યક્તિ સામે પગલા લેવાશે. તો જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, આ વીડિયોની તપાસ કરવામાં આવી છે. સીએમઓના આદેશ અનુસાર કામગીરી હાથ ધરવામાં આવી જેમાં બસને સેનિટાઇઝ કરવાની વાત હતી પરંતુ કર્મચારીઓના વધુ પડતા ઉત્સાહને કારણે આવી ઘટના બનવા પામી છે જેના વિરૂદ્ધ કડક પગલા લેવામાં આવશે.