ઉત્તરપ્રદેશમાં ભાજપની યોગી સરકાર આવ્યાં બાદ પોલીસે તાબડતોડ એન્કાઉન્ટર કર્યા. જે બાદ સુપ્રીમ કોર્ટે એક જનહિત અરજી પર યોગી સરકારને નોટિસ જાહેર કરી છે. આ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અથડામણમાં થયેલી હત્યાની સીબીઆઈ કે એસ.આઈ.ટીની દેખરેખ હેઠળ કોર્ટ તપાસ કરે. તો મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ કહ્યું કે આ એક ગંભીર મામલો છે. જેનાં પર વિસ્તૃત સુનાવણીની જરૂર છે.
આ મામલે આગામી સુનાવણી 12 ફેબ્રુઆરીનાં રોજ થશે. તો યોગી સરકારે સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું રજૂ કર્યું હતું અને તેમાં એન્કાઉન્ટરની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. યૂપી પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે રાજ્યમાં થયેલી અથડામણમાં 48 ગુનેગારોને ઠાર મારવામાં આવ્યાં છે.
તેમજ અથડામણમાં 4 પોલીસકર્મીનાં પણ મોત થયાં છે. તો આ દરમ્યાન 98 હજાર 526 ગુનેગારોએ પણ સરેન્ડર કર્યું છે. જ્યારે 3 લાખ 19 હજાર 141 ગુનેગારોની ધરપકડ પણ કરવામાં આવી. જ્યારે 319 પોલીસકર્મીઓ અને 409 ગુનેગારો ઈજાગ્રસ્ત થયાં હતાં.
યૂપી સરકારને આ નોટિસ એક પીઆઇએલ પર વિચાર કર્યા બાદ આપવામાં આવેલ છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે રાજ્યમાં હમણાં થયેલ પોલીસ અથડામણની ઘટનાઓની તપાસ સીબીઆઇ અથવા એસઆઇટીની નજર હેઠળ થાય.
ગયા વર્ષે નવેમ્બરમાં યોગી સરકારે કહ્યું હતું કે પોલીસે આ અથડામણ સેલ્ફ ડિફેન્સમાં કરી છે. સરકારનું કહેવું એમ છે કે ઘાતક હથિયારોથી હુમલાનાં જવાબમાં પોલીસે ગોળીઓ વરસાવી પડી. સરકારે આ વાતનો ઇન્કાર કર્યો કે અથડામણને આધારે અલ્પસંખ્યકોને નિશાન બનાવવામાં આવી રહેલ છે.
યોગી સરકારનો દાવો શરૂ રહેશે એન્કાઉન્ટરઃ
યોગી સરકારે અનેક વાર એવો દાવો કરી ચૂકેલ છે કે રાજ્યથી ગુનેગારોનો સફાયો કરવા માટે આ અથડામણ શરૂ રહેશે. યોગીનું કહેવું એમ છે કે અથડામણ હજી પણ શરૂ રહેશે. ગુનેગારો સાથેની સહાનુભૂતિ ડેમોક્રેસી માટે એક ઘાતક સમાન છે.
પૂર્વેનાં દિવસોમાં અખિલેશ યાદવે કહ્યું હતું કે સમાજવાદી પાર્ટીની સરકારમાં જો પોલીસ અથડામણ દરમ્યાન કોઇ નિર્દોષનો જીવ જતો રહેતો તો સરકાર તેઓનાં પરિવારજનોને 50 લાખ રૂપિયાની મદદ કરતી હતી. તેઓએ જણાવ્યું કે આ સરકારને પણ ફર્જી એન્કાઉન્ટરમાં જીવ ગુમાવનાર પરિવારજનોને તુરંત કોઇ પણ રીતે 50 લાખ રૂપિયાની મદદ કરવી જોઇએ.