લખનૌ: ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં ડૉક્ટરોની રિટાયરમેંટની ઉંમર 60 વર્ષથી વધારીને 62 વર્ષ કરવામાં આવી છે. સરકારે પ્રદેશમાં ડૉક્ટરોની અછતને ધ્યાનમાં લઇ આ નિર્ણય લીધો છે. આજે મળલી બેઠકમાં નવી ખનન નીતિને પણ મંજૂરી આપવામાં આવી છે.