અયોધ્યામાં આવતા વર્ષની શરૂઆતમાં એરપોર્ટ શરૂ થઈ જશે
ઉત્તરપ્રદેશમાં હાલ ચૂંટણીના માહોલ વચ્ચે યોગી સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે અન્ય રાજોયની સરખામણીએ યુપીમાં સૌથી વધારે ઈન્ટરનેશનલ એરપોર્ટ રહેશે. હાલ ઉત્તરપ્રદેશમાં કુલ 8 એરપોર્ટ છે. જોકે અહીયા બીજા 5 નવા એરપોર્ટ પણ ડેવલપ કરવામાં આવી રહ્યા છે.
25 નવેમ્બરે PM મોદી જશે જેવર
યોગી સરકાર દ્વારા ઉત્તરપ્રદેશમાં 5 ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. આ એરપોર્ટ બન્યા બાદ યુપીથી લોકોને ડાયરેક્ટ વિદેશ જવા માટે ફ્લાઈટ મળી રહેશે. 2 દિવસ રહીને 25 નવેમ્બરે પીએમ મોદી જેવરમાં જવાના છે. જ્યા તેઓ નોઈડામાં ઈન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કરશે.
પહેલા માત્ર બે ઈન્ટરનેશનલ એરપોર્ટ હતા
2012ની જો વાત કરવામાં આવે તો યુપીમાં તે સમયે લખનૌ અને વારાણસી માત્ર બે સ્થળોએ ઈન્ટરનેશનલ એરપોર્ટ હતા. બાદમાં કુશીનગરમાં પણ ત્રીજું ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવામાં આવ્યું જેનું ઉદ્ધાટન પીએમ મોદી દ્વારાજ કરવામાં આવ્યું હતું.
2022માં અયોધ્યામાં એરપોર્ટ શરૂ થશે
અયોધ્યામાં પણ એરપોર્ટનું કામ પૂરજોશથી કરવામાં આવી રહ્યું છે. એવી આશા સેવાઈ રહી છે 2022ની શરૂઆતમાંજ ત્યા એરપોર્ટ શરૂ થઈ જશે. જ્યારે પાંચમુ એરપોર્ટ નોઈડાની પાસે જેવરમાં બનાવામાં આવશે સાથેજ આ એરપોર્ટથી લોકો ડાયરેક્ટ વીદેશ જવા માટે ફ્લાઈટ બુક કરાવી શકશે.
3 વર્ષમાં એરપોર્ટ બનીને રેડી થઈ જશે
ઉલ્લેખનીય છે કે યુપીના એનસીઆરમાં આવેલ ગૌતમબુદ્ધ નગરમાં જેવર પાસે આ ઈન્ટરનેશનલ એરપોર્ટનું કામ ચાલી રહ્યું છે. જેને તૈયાર કરવાને લઈને મલ્ટી મૉડલ કનેક્ટિવિટી પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે આગામી 3 વર્ષમાં આ એરપોર્ટનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે.