વૃન્દાવનમાં રંગમહલ (Rangmahal Temple ) નામનું એક મંદિર છે જેના વિશે ભક્તોનું કહેવું છે કે અહીં રોજ રાત્રે શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી રાધા રાસ રમવા માટે આવે છે.
રહસ્યમયી છે આ મંદિર
દૂર દૂરથી આવે છે લોકો દર્શન કરવા
રાત્રે ભગવાન આવે છે અહીં
આપણા દેશમાં ધર્મ અને સંસ્કૃતિનું ખૂબ જ મહત્વ છે. અહીં લોકો ભગવાનમાં પોતાની સંપૂર્ણ શ્રદ્ધા રાખે છે. આજ કારણ છે કે દેશમાં ઘણા એવા મંદિર છે જેને જોવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે. પરંતુ શું તમે જાણો છો કે કૃષ્ણ નગરી વૃન્દાવનમાં એક એવું જ રહસ્યમયી મંદિર છે. જ્યાં આજે પણ ભગવાન કૃષ્ણ રોજ આવે છે. જી હાં, વૃન્દાવનમાં રંગમહલ (Rangmahal Temple ) નામનું એક મંદિર છે જેના વિશે ભક્તોનું કહેવું છે કે અહીં રોજ રાત્રે શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી રાધા રાસ રમવા માટે આવે છે.
આ મંદિરના પુજારીની માનીએ તો રંગમહલ મંદિરનો દરવાજો દરરોજ સવારે જાતે ખુલે છે અને દરરોજ રાતે જાતે જ બંધ થઈ જાય છે. માન્યતા છે કે અહીં રોજ રાતે ભગવાન શ્રી કૃષ્ણ આવે છે અને તેમના માટે મંદિરમાં માખણ પણ મુકલામાં આવે છે.
આરામ કરવા આવે છે ભગવાન
આટલું જ નહીં મંદિરમાં રોજ ભગવાનનો બેડ પણ લગાવવામાં આવે છે. પુજારીઓની માનીએ તો સવારે બેડ પર પડેલી કરચલીઓથી આભાસ થાય છે કે અહીં ભગવાન રાતે આરામ કરવા માટે આવે છે.
રાસ રમે છે રાધા-કૃષ્ણ
ત્યાં જ આ મંદિરની પાસે એક નિધિવન પણ છે. જે ખૂબ જ રહસ્યમયી જગ્યા માનવામાં આવે છે. લોકોનું કહેવું છે કે આ વનમાં રાતે ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રી રાધા રાસ રમવા આવે છે.
શું કહે છે મંદિરના પુજારી?
પુજારીએ એક વખત એમ પણ જણાવ્યું હતું કે જ્યાં ભગવાન કૃષ્ણ રાસ રમે છે ત્યાં બે લોકોએ તેમને છુપાઈને જોવાનો પ્રયત્ન કર્યો હતો અને બીજા દિવસે બન્ને પાગલ થઈ ગયા હતા. માન્યતા એવી પણ છે કે જે પણ વ્યક્તિ અહીં સાચ્ચા મનથી માનતા રાખે છે. તેમને તે જરૂર મળશે.