યૂપીમાં ATSની મોટી કાર્યવાહી સામે આવી છે. દેવબંદમાંથી જૈશ એ મોહમ્મદના આતંકીની ધરપકડ કરવામાં આવી છે.
જમ્મૂ કશ્મીરમાં પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશની સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. ત્યારે આ કાર્યવાહી દરમિયાન ઉત્તરપ્રદેશની ATS ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી અને દેવબંદથી કેટલાક આતંકીની ધરપકડ કરી છે. જેમાં જૈશ એ મોહમ્મદના આતંકી શાહનવાઝ મહમદ તેલીનો પણ સમાવેશ છે. જે કશ્મીરના કુલગામનો રહેવાસી છે.
UP DGP OP Singh: Of the two Shahnawaz is said to be a grenade expert. We will seek transit remand and investigate when they came here from Kashmir and who is funding them and what was their target. We are in touch with J&K Police https://t.co/I4HzNBmk9b
પ્રાપ્ત વિગતો મુજબ, શાહનવાઝ અહમદનું કામ નવા આતંકીઓની ભરતી કરવાનું છે. તે પાછલા કેટલાય સમયથી પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સક્રિય હતો. પોલીસે જણાવ્યું કે બંને આતંકી કોઇ કોલેજ અથવા ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લીધા વગર વિદ્યાર્થીઓ જણાવીને ત્યાં રહી રહ્યા હતા. પોલીસને એમની પાસેથી 32 બોરના 2 તમંચા અને આશરે 30 જીવતા કારતૂસ મળ્યા છે. આ ઉપરાંત એમની જેહાદી ચેટ પણ પોલીસના હાથે લાગેલી છે.
ઉલ્લેખનીય છે કે, જમ્મૂ કશ્મીરના પુલવામામા થયેલા હુમલામાં જૈશના આતંકીનો હાથ હતો અને આ હુમલામાં 44 જવાનો શહીદ થયા હતા. જે આતંકીએ હુમલો કર્યો હતો તેનું નામ આદિલ અહમદ ડાર હતુ અને તે પણ જમ્મૂ કશ્મીરનો જ રહેવાસી હતો.
યૂપી ATSએ આ પહેલા અનેક આતંકીઓની પણ ધરપકડ કરી છે. આ પહેલા ATSએ ISISના મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો.