સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યામાં બમણો ધસારો થયો છે. તેનાં પગલે વ્યૂઈંગ ગેલેરીની ટિકિટો ૩૧મી સુધી હાઉસફુલ થઈ ગઈ છે. એટલે જો તમે ૩૧ ડિસેમ્બર સુધીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા ઈચ્છતા હશો તો નવા વર્ષમાં જ તેનો મેળ પડશે, કારણ કે તમને વ્યૂઇંગ ગેલેરી ૩૧ ડિસેમ્બર સુધી જોવા મળશે નહીં.
નાતાલનાં વેકેશનમાં રોજનાં 25થી 30 હજાર પ્રવાસીઓ અહીં આવે છે
વેકેશનને કારણે અહીં પ્રવાસીઓનો ઘસારો વધ્યો
31 સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બુકિંગ ફુલ
31 સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બુકિંગ ફુલ
વ્યૂઈંગ ગેલેરીની ટિકિટ નહીં મળતાં પ્રવાસીઓમાં નિરાશા છે. અત્યારે નાતાલ વેકેશનમાં રોજના રપ થી ૩૦ હજાર પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. તેથી ૩૧ સુધીનું અત્યારે ૧૦૦ ટકા એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે. અત્યારે પ્રવાસીઓને બસ અને મ્યુઝિયમ બન્નેનાં મળીને માત્ર રૂ. ૧૮૦ની ટિકિટ મળે છે.
કરોડોના આ સ્ટેચ્યુમાં ખામી હોવાથી ફરી કરવો પડ્યો હતો આટલો ખર્ચ
દુનિયાની આ સૌથી ઊંચી પ્રતિમાને ૩૦૦૦ કરોડ રૂપિયાનાં ખર્ચે બનાવવામાં આવી છે. ત્યારબાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની શાન વ્યૂઇંગ ગેલેરીમાં પહેલા વરસાદનાં કારણે પાણી ભરાઈ ગયાં હતાં. ચોમાસામાં પાણી ટપકવાના કારણે તેના સમારકામ માટે વધુ રૂ.ર૬૭ કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે.
સ્ટેચ્યુની આ છે ખાસિયત
સાતપૂડાના પર્વતની ગિરિમાળાઓની વચ્ચે આવેલા સાધુ બેટ ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ ૩૧ ઓક્ટોબર, ર૦૧૮ના રોજ થઈ ગયું છે, જેમાં ૧પ૩ મીટર પર સરદાર પટેલની છાતીના ભાગે એક વ્યૂઇંગ ગેલેરી બનાવવામાં આવી છે, જેમાંથી સાતપૂડાની ગિરિમાળાઓ ની સુંદરતા જોઈ શકાય છે, જ્યારે સામેની બાજુએ નર્મદા ડેમ નજરે પડે છે.