કોરોના વાયરસના સંક્રમણનું કેન્દ્ર રહેલા વુહાન શહેરના ડોક્ટર્સે ચેતવણી આપતાં કહ્યું છે કે અહીં કોરોનાથી સાજા થયેલા લગભગ 10 ટકા લોકોમાં ફરીથી કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું છે. આ કેવી રીતે થયું તેનો ખ્યાલ હજુ સુધી આવ્યો નથી.
ચીનમાં કોરોનાએ ફરી દેખા દીધી
10 ટકા લોકોમાં જોવા મળ્યું કોરોનાનું સંક્રમણ
ફરીથી કોરોના કેવી રીતે ફેલાયું તેનું નથી મળ્યું કારણ
ચીને કોરોના સંક્રમણને નાથવામાં ઘણા અંશ સુધી કાબુ મેળવી લીધો હતો. પરંતુ અહીં રોજ ફરીથી દિવસના 40 દર્દીઓ કોરોનાથી સંક્રમિત જોવા મળી રહ્યા છે. જ્યારે 5000થી પણ વધારે લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કોરોનાને લઈને વુહાનના ડોક્ટર્સે જણાવ્યું કે જે દર્દીઓ અગાઉ સાજા થયા હતા તેમાંના લગભગ 10 ટકામાં ફરીથી કોરોના જોવા મળ્યો છે. આ કેવી રીતે થયું તેનો ખ્યાલ કોઈને આવી રહ્યો નથી.
સાજા થયેલા લોકોમાં ફરી કોરોનાના સંક્રમણ દેખાવવા એ ચિંતાનો વિષય
મળતી માહિતી અનુસાર ડોક્ટર્સ માટે પણ આ ચિંતાનો વિષય છે. રિકવર થયેલા દર્દીઓમાં કોરોના ફરીથી કઈ રીતે સંક્રમિત થઈ રહ્યો છે તેનું કારણ તેમને પણ મળી રહ્યું નથી. ડોક્ટર્સ કહે છે કે શરીરમાં કોરોનાના એન્ટીબોડીઝ વિકસિત થાય પછી અને ઈમ્યૂન થઈ ગયા પછી ફરીથી કોરોના દેખાવવો એ ચિંતાનો વિષય છે.
એક જ પરિવારના 3 સભ્યોને થોડા દિવસમાં ફરીથી કોરોના દેખાયો
કોરોના ચેપના લક્ષણો હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓના 5 થી 10% માં ફરીથી શરૂ થયા. આ સિવાય પણ એક અહેવાલમાં દાવો કર્યો છે કે વુહાનમાં સાજા થયેલા કોરોના દર્દીઓમાં 5 થી 10% ફરીથી ચેપ લાગ્યો છે. આ અહેવાલમાં વુહાનમાં રહેતા એક પરિવારનો પણ ઉલ્લેખ છે જ્યાં પરિવારના ત્રણેય સભ્યોને સ્વસ્થ થયાના થોડા દિવસો પછી ફરીથી ચેપ લાગ્યો હતો.
કોરોના ટેસ્ટને લઈને પણ સર્જાયા પ્રશ્નો
કોરોનાથી સાજા થયેલા લોકોમાં ફરીથી કોરોના દેખાવવાના કારણે ટેસ્ટને લઈને પણ પ્રશ્નો થયા છે. આ વ્યક્તિઓ અન્ય કોઈ સંક્રમિત દર્દીઓના સંપર્કમાં પણ આવ્યા નથી છતાં તેમનામાં કોરોનાના લક્ષણો ફરીથી જોવા મળ્યા છે. હાલમાં આ તમામ દર્દીઓની ફરીથી તપાસ કરવામાં આવી રહી છે.