ઉત્તરપ્રદેશનાં સોનભદ્ર જિલ્લાનાં ઉભભા ગામમાં સામાન્ય જમીન વિવાદ બાદ ગ્રામ પ્રધાન અને ગ્રામીણોની વચ્ચે થયેલી લડાઇમાં એક જ પક્ષનાં 9 લોકોએ હત્યા કરી દેવામાં આવી છે. પ્રધાનપક્ષનાં લોકોએ ગ્રામીઓ પર ફાયરિંગ શરૂ કરી દીધી કે જ્યાર બાદ અંદાજે 25 લોકો ઘાયલ થયા છે. ધોરાવલની મૂર્તિયા ગ્રામ પંચાયતમાં વિવાદ બાદ બરાબર લાકડીઓ અને ડંડાઓ પણ વરસ્યા. આ વિવાદમાં 6 પુરૂષ અને 3 મહિલાઓનાં મોત થયા છે.
ઉત્તરપ્રદેશનાં સોનભદ્ર જિલ્લાનાં ઉભભા ગામમાં સામાન્ય જમીન વિવાદ બાદ ગ્રામ પ્રધાન અને ગ્રામીણોની વચ્ચે થયેલી લડાઇમાં એક જ પક્ષનાં 9 લોકોએ હત્યા કરી દેવામાં આવી છે. પ્રધાનપક્ષનાં લોકોએ ગ્રામીઓ પર ફાયરિંગ શરૂ કરી દીધી કે જ્યાર બાદ અંદાજે 25 લોકો ઘાયલ થયા છે. એવુ જણાવવામાં આવી રહ્યુ છે કે મરનારાઓની સંખ્યા હજી વધી શકે તેવી શક્યતા છે.
ધોરાવલની મૂર્તિયા ગ્રામ પંચાયતમાં વિવાદ બાદ બરાબર લાકડીઓ અને ડંડાઓ પણ વરસ્યા. આ વિવાદમાં 6 પુરૂષ અને 3 મહિલાઓનાં મોત થયા છે. પ્રારંભિક જાણકારી અનુસાર વિવાદિત જમીન પર લાંબા સમયથી બંને પક્ષોની વચ્ચેની લડાઇની ઘટના સામે આવી છે. સામાન્યપણે આ જમીનને લઇને ઘણી બધી વાર વિવાદ સર્જાતો જ રહે છે.
Sonbhadra: Casualties reported after firing between two groups over a land dispute in Ghorawal today; District Magistrate Ankit Kumar Agarwal says, "We can't tell exact numbers as of now. 9 persons brought to District Hospital. Some are injured & some are dead." pic.twitter.com/QDeL1QylFK
પ્રધાનનાં સમર્થકોએ ગોળી ચલાવીઃ
એવું જણાવાઇ રહ્યું છે કે ગ્રામ પ્રધાને 2 વર્ષ પહેલા 90 વીઘા જમીન ખરીદી હતી. બુધવારનાં રોજ ગ્રામ પ્રધાન પોતાનાં સમર્થકોની સાથે સાથે જમીન પર કબ્જો કરવા પહોંચ્યા હતાં. ગ્રામીઓએ જમીનનાં કબ્જા પર વિરોધ દર્શાવ્યો કે જ્યાર બાદ પ્રધાનપક્ષે ફાયરિંગ શરૂ કર્યુ. આ ફાયરિંગમાં 9 ગ્રામીણોનાં મોત થયા છે કે જેમાં 4 મહિલાઓ પણ શામેલ છે.
ભારે સંખ્યામાં પોલીસદળ તૈનાતઃ
એસપી સોનભદ્રની સાથે સ્થાનીય પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ચુકી છે. આ મામલામાં પોલીસે બે લોકોની ધરપકડ કરી લીધી છે. ધોરાવલ કોતવાલી ક્ષેત્રનાં ઉભભા ગામમાં ખૂબ ભારે સંખ્યામાં પોલીસ દળ તૈનાત છે. સાંજનાં ચાર કલાક સુધી જિલ્લા હોસ્પિટલમાં 4 મહિલાઓ સહિત 9 લોકોનાં મોત જિલ્લા હોસ્પિટલ પહોંચી ચૂકેલ છે.
મુખ્યમંત્રી યોગીએ લીધી ભાળઃ
ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ મામલા પર ભાળ લીધી. આ ઘટનાની હજી વિગતવાર વિગતોની પ્રતિક્ષા સેવાઇ રહી છે. યોગી આદિત્યનાથે મૃતકોનાં પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. સીએમ યોગીએ ઘાયલોને તત્કાલ મેડિકલ સહાયતા આપવાનો નિર્દેશ કર્યો છે. આ સંબંધમાં સોનભદ્રનાં જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ રજૂ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી આદિત્યનાથે યૂપીનાં ડીજીપીને આદેશ કર્યો છે કે આ મુદ્દા પર તેઓ વ્યક્તિગત નજર રાખે અને આ ઘટનાની તપાસ કરાવે.