આવતા વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ થવા જઇ રહી છે ત્યારે જાણો કેવા છે હાર-જીતનાં સમીકરણો
આગામી વર્ષે ભારતના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે. સત્તાધારી પાર્ટીઓ પોતાની સત્તા જાળવવા અને જનતાને રીઝવવામ લાગી ગઈ છે અને વિપક્ષ દ્વારા નવા નવા દાવપેચ લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે એક સર્વેમાં ઊતરપ્રદેશ સહિતનાં રાજ્યોમાં સત્તાના સમીકરણોની આગાહી કરવામાં આવી છે.
આ પાંચ રાજ્યોમાં ચૂંટણી
ઉત્તરપ્રદેશ
પંજાબ
ઉત્તરાખંડ
ગોવા
મણિપુર
1) ઉત્તરપ્રદેશ
યુપીમાં ફરી એકવાર ભાજપની સરકાર બની શકે છે
સર્વેમાં કહેવામાં આવ્યું હતું કે યુપીમાં ભાજપને 241થી 249 સીટ મળી શકે છે
જ્યારે યુપીમાં SPને 130-138 સીટ, BSPને 20થી ઓછી સીટ મળી શકે છે
જ્યારે કોંગ્રેસને યુપીમાં પ્રિયંકા ગાંધીની આગેવાનીમાં પણ 3થી 7 સીટ મળી શકે છે
2) પંજાબ
સર્વેમાં કહેવામાં આવ્યું હતું કે પંજાબમાં આ વખતે કોઇ પાર્ટીને બહુમત નહીં મળે, આ ઉપરાંત પંજાબમાં AAP સૌથી મોટી પાર્ટી બની શકે છે
AAPને પંજાબમાં 49થી 55 સીટ મળી શકે છે જ્યારે
કોંગ્રેસને પંજાબમાં 39થી 47 સીટ મળી શકે છેઃ સર્વે
અકાલી દળને 17થી 25 અને ભાજપને 1 સીટ મળી શકે છે એવું પણ સર્વેમાં કહેવામાં આવ્યું હતું.
3) ઉત્તરાખંડ
ઉત્તરાખંડમાં ભાજપ ફરી સત્તામાં વાપસી કરી શકે છે જેમાં ભાજપને 42થી 46 સીટ મળી શકે છે અને કોંગ્રેસને 21થી 25 સીટ મળી શકે છે તો આ ઉપરાંત AAPને ઉત્તરાખંડમાં 4 સીટ મળી શકે છે.
4) મણિપુર
મણિપુરમાં ભાજપને 36 ટકા મત મળી શકે છે અને કોંગ્રેસને 34 ટકા, NPFને 9 ટકા, અન્યને 21 ટકા મત મળી શકે છે એવું પણ સર્વેમાં કહેવામાં આવ્યું હતું.
તો સામે મણિપુરમાં ત્રિશંકુ વિધાનસભા બનવાની શક્યતા છે. મણિપુરમાં ભાજપને કુલ પૈકી 21થી 25 સીટ મળી શકે છે અને
કોંગ્રેસને મણિપુરમાં 18થી 22 સીટ મળી શકે છે. NPFને મણિપુરમાં 4થી 8 સીટ મળવાની શક્યતા છે.
5) ગોવા
સર્વેમાં કહેવામાં આવ્યું હતું કે ગોવામાં ભાજપને 39 ટકા મત મળી શકે અને
કોંગ્રેસને 18 ટકા, AAPને 23 ટકા, અન્યને 21 ટકા મત મળશે.