યુપીમાં ફરી વાર યોગી આદિત્યનાથની સરકાર બનતાની સાથે જ પ્રયાગરાજમાં પૂર્વ સાંસદ બાહુબલી અતીક અહેમદ વિરૂદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરાઇ છે.
ફરી વાર યોગી સરકાર બનતા જ માફિયા સામે કાર્યવાહી તેજ કરાઇ
પૂર્વ સાંસદ બાહુબલી અતીક અહેમદના ઘર પર ફરી વળ્યું બુલડોઝર
PDAએ 5 હજાર ચોરસ મીટર વિસ્તારવાળી મિલકતનું કર્યું ડિમોલિશન
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર બન્યા બાદ એક વાર ફરી માફિયા તેમજ ગુનેગારો સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. પ્રયાગરાજમાં પૂર્વ સાંસદ બાહુબલી અતીક અહેમદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીએ ગેરકાયદે બાંધકામનો આરોપ લગાવતા અતીક અહેમદની મિલકત તોડી પાડી છે. ઝોનલ ઓફિસર આલોક પાંડેએ જણાવ્યું કે, 10 ફૂટ ઉંચી બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવી રહી છે. જે જરૂરિયાત કરતા વધારે મોટી માત્રામાં હતી. આથી તેને દૂર કરવામાં આવી છે. તેઓએ કહ્યું કે, માફિયા અને હિસ્ટ્રીશીટર સામે કાર્યવાહી કરવામાં આવશે.
બુલડોઝર ચલાવીને તોડી પડાયું
પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીએ બુલડોઝર ચલાવીને અતીકની બાઉન્ડ્રી વોલ તોડી પાડી છે. આ કાર્યવાહી માટે ખૂબ મોટી સંખ્યામાં પોલીસ અને પીએસીના જવાનો ત્યાં પહોંચ્યા હતાં. આ જ કારણોસર કોઈ વિરોધ થયો ન હતો અને કાર્યવાહી કરી દેવાઇ હતી. જો કે, આ કાર્યવાહી જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા. અતીકના પૈતૃક ઘર પર બુલડોઝર ચલાવીને યોગી સરકારે એવો સ્પષ્ટ મેસેજ લોકોને આપી દીધો છે કે સરકાર બનતાની સાથે જ તેઓ માફિયા અને ગુનેગારો વિરૂદ્ધ કાર્યવાહી કરવાના વચનને પૂર્ણ કરવા સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે.
UP | Prayagraj Dev Authority razes SP leader Atiq Ahmed's property alleging illegal construction
A 10-feet tall boundary wall was being made, it's more than the required size. It's being removed. Action will be taken against mafias,history sheeters:Alok Pandey, Zonal Officer pic.twitter.com/fi3ENrC9pD
જણાવી દઈએ કે, અગાઉ પણ અતીકના પૈતૃક રહેઠાણને વહીવટીતંત્ર દ્વારા બુલડોઝર ચલાવીને તોડી પાડવામાં આવ્યું હતું પરંતુ અહીંયા ફરીથી બાઉન્ડ્રી વોલ ઊભી કરી દેવાઇ હતી. જ્યાર બાદ તેને ફરીથી તોડી પાડવામાં આવી છે. આ સાથે જ પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીએ અતીકના નજીકના ખાલિદ ઝફર સામે પણ કાર્યવાહી કરી હતી. તેઓની અનેક વીઘા જમીનમાં ગેરકાયદે વાવેતરને પણ ખાલી કરી દેવાયું હતું.
પહેલેથી જ PDAએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી
PDAએ આ કાર્યવાહી માટે અગાઉથી જ તમામ તૈયારીઓ કરી લીધી હતી. અતીક અહેમદ ભલે જેલના સળિયા પાછળ હોય પરંતુ સરકાર તેની ગેરકાયદેસર મિલકતો પર સતત નજર રાખી રહી છે. પીડીએના અધિકારીઓના જણાવ્યાં અનુસાર, અતીકે ચકિયા પાસે કૌશાંબી રોડથી કેસરિયા જતા રોડ પર અંદાજે પાંચ હજાર ચોરસ મીટર લાંબા વિસ્તાર પર કબજો જમાવ્યો હતો. આ જમીનમાં નકશા પાસ કર્યા વિના બે માળની આલીશાન ઈમારત પણ બનાવવામાં આવી છે. જે હાલમાં તોડી પડાઇ છે.