ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં ગુરુવારે રાતે ભીષણ રોડ અકસ્માત થયો હતો. લખનૌ પ્રયાગરાજ હાઈવે પર સ્પીડ પર કન્ટ્રોલ ન રહેલા બોલેરો ત્યાં ઉભા રહેલા ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં 14 જાનૈયાઓનું મોત નીપજ્યું હતુ. ઘટનામાં મરનારા 5 કિશોરો હોવાનું કહેવાઈ રહ્યું છે. પ્રતાપગઢના એસપી આર્યએ ઘટના અંગે ખરાઈ કરી છે. તેમણે ચાલકને ઝોંકુ આવી જવાથી ઘટના બની હોવાનું જણાવ્યું છે.
મરનારા 5 કિશોરો હોવાનું કહેવાઈ રહ્યું છે
ચાલકને ઝોંકુ આવી જવાથી ઘટના બની હોવાનું જણાવ્યું
આ ઘટનામાં 14 જાનૈયાઓનું મોત નીપજ્યું હતુ
મળતી માહિતી મુજબ પ્રતાપગઢ જિલ્લામાં નબાબગંજ વિસ્તારના શેખાપુરથી તમામ જાનૈયા બોલેરો લઈને પાછા ફરી રહ્યા હતા. ગુરુવારે રાતે લગભગ લખનૌ- પ્રયાગરાજ હાઈવે પર ફૂલ સ્પીડમાં કન્ટ્રોલ ન રહેલા બોલેરો ત્યાં ઉભી ટ્રકમાં ઘૂસી ગઈ હતી.
Pratapgarh: Fourteen persons including six children died after the vehicle they were travelling in collided with a truck on Prayagraj-Lucknow highway under limits of Manikpur police station last night. pic.twitter.com/2WOFMUyO8Z
જેમાં 14 જાનૈયાનું મોત થયું હતુ. પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી ચાલુ કરી હતી.આ જાનૈયા કુંડા કોતવાલીના જિર્ગાપુરમાં રહેનારા હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘટના માનિકપુર પોલીસ સ્ટેશનના દેશરાજ ઈનારામાં બની છે.