રવિવારે એક વ્યક્તિની મોત બાદ કલાકો સુધી તેની લાશ માતા સામે પડી રહી. કોઈ અંતિમ સંસ્કાર કરવા આગળ ન આવ્યુ.
દીકરાની લાશ કલાકો સુધી માતા સામે પડી રહી
કોઈ અંતિમ સંસ્કાર કરવા આગળ ન આવ્યુ
નગર પાલિકાના કર્મચારીઓ લાશને લારીમાં મુકી સ્મશાન લઈ ગયા
દીકરાની લાશ કલાકો સુધી માતા સામે પડી રહી
વારાણીમાં માનવતા શરમમાં મુકાય તેવી ઘટના સામે આવી છે. જ્યાં રવિવારે એક વ્યક્તિની મોત બાદ કલાકો સુધી તેની લાશ માતા સામે પડી રહી. કોઈ અંતિમ સંસ્કાર કરવા આગળ ન આવ્યુ. બાદમાં કાનપુર નાનો ભાઈ પાછો ફર્યો ત્યારે જઈને આમ તેમ કરી ખભો આપવા માટે લોકો આગળ આવ્યા. લોકો થોડા આગળ વધ્યા જ હતા કે નગર પાલિકાના કર્મચારીઓ ત્યાં પહોંચી ગયા અને તેમણે લાશને લારીમાં રાખી. નાનો ભાઈ ના પાડતો રહ્યો પણ નગર પાલિકાએ એક ન સાંભળી તેને લારી પર લાદ્યી સ્મશાન લઈ ગયા.
કોઈ અંતિમ સંસ્કાર કરવા આગળ ન આવ્યુ
આ મામલો વારાણસી રામનગર વિસ્તારનો છે. જ્યા રવિવારે સવારે 44 વર્ષના પ્રશાંતનું મોત કોરોનાથી થયું હતુ. ડરના કારણે કોઈએ ખભો આપવા ન આવ્યું. ઘરે માત્ર મા જ હતી. રડી રડીને જેની હાલત ખરાબ હતી. અનેક કલાકો તેની સામે દીકરાનો મૃતદેહ પડ્યો રહ્યો.
નગર પાલિકાના કર્મચારીઓ લાશને લારીમાં મુકી સ્મશાન લઈ ગયા
એ બાદ કાનપુરની તેનો નાનો દીકરો આવ્યો. તેના અંતિમ સંસ્કારની પ્રક્રિયા શરુ થઈ. જેમ તેમ કરીને લોકોએ હિંમત ભેગી કરી તેની મદદ માટે આગળ વધ્યા કે ત્યારે જ નગર પાલિકાના કર્મચારીઓ ત્યાં પહોંચી ગયા અને તેમણે લાશને લારીમાં રાખી. નાનો ભાઈ ના પાડતો રહ્યો લોકોએ તેનો વિરોધ કર્યો, પણ નગર પાલિકાએ એક ન સાંભળી તેને લારી પર લાદ્યી સ્મશાન લઈ ગયા. કર્મચારીની આ હરકતથી લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. કોરોનાને કારણે અવાર નવાર એવી ઘટનાઓ સામે આવી રહી છે. જ્યાં લાશને ટ્રોલી, લારી અથવા રિક્શામાં સ્મશાન લઈ જવા લોકો મજબુર બન્યા છે. કોરોનામાં માનવીય સંવેદના મરી પરવાડી છે.