દિલ્હીમાં પ્રદુષણ અતિગંભીર સ્તર પર છે ત્યારે યુપીના મંત્રીએ પ્રદુષણ ઓછું કરવા માટે ઈન્દ્રદેવને પ્રસન્ન કરવાની સલાહ આપી છે. મંત્રી સુનીલ ભારલાએ કહ્યું હતું કે જો તમારે પ્રદુષણ ઓછું કરવું હોય તો રાજ્ય સરકારે સૌપ્રથમ યજ્ઞનું આયોજન કરવો જોઈએ. જો ઈન્દ્રદેવ ખુશ થઈ ગયા તો બધી સમસ્યાઓ આપો આપ જ ઠીક થઈ જશે.
દિલ્હીમાં અતિગંભીર સ્તર પર પ્રદુષણ
યુપીના મંત્રીએ પ્રદુષણ ઓછું કરવા યજ્ઞ કરવાની આપી સલાહ
ઈન્દ્રદેવ પ્રસન્ન થશે તો સમસ્યાઓ આપોઆપ ઓછી થઈ જશે: યુપીના મંત્રી
'ઈન્દ્રદેવ પ્રસન્ન થશે તો વરસાદ આવશે'
દિલ્હીમાં પ્રદુષણનું સ્તર અતિગંભીર સ્તર પર છે. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે ત્યારે ઉત્તરપ્રદેશના મંત્રીએ પ્રદુષણ ઓછુ કરવા માટે અનોખી વાત કહી છે. મંત્રી સુનીલ ભરાલાએ કહ્યું કે જો તમારે પ્રદુષણ ઓછું કરવું હોય તો રાજ્ય સરકારે સૌથી પહેલા યજ્ઞ કરાવવો જોઈએ.જેથી આ યજ્ઞથી ઈન્દ્રદેવ પ્રસન્ન થાય અને વરસાદ થાય. જો ઈન્દ્રદેવ ખુશ થઈ ગયા તો બધી સમસ્યાઓ આપો આપ જ ઠીક થઈ જશે.
રવિવારે દિલ્હીમાં AQI આ સિઝનમાં પ્રથમ વખત 625 સુધી પહોંચી ગયો
આપને જણાવી દઈએ કે દિલ્હીમાં હવાની ગુણવત્તા દિવસેને દિવસે ઓછી થઈ રહી છે. દિવાળી પછી દિલ્હીમાં પ્રદુષણ વધવા લાગ્યું હતું જે બાદ દેશની રાજધાનીમાં હવામાં પ્રદુષણ એટલું વધ્યું કે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી. દિલ્હીમાં દરેક પ્રકારના બાંધકામ પર પ્રતિબંધ લગાવવો પડ્યો. રવિવારે દિલ્હીમાં AQI આ સિઝનમાં પ્રથમ વખત 625 સુધી પહોંચી ગયો હતો. દિલ્હીથી જોડાયેલા નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝીયાબાદમાં AQI 400 થી 709 સુધી નોંધવામાં આવી હતી. દિલ્હી અને આસપાસના શહેરોના AQI અતિ ગંભીર શ્રેણીમાં આવે છે. દિલ્હીમાં પ્રદુષણના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા જેવી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. આ સિવાય વૃદ્ધ અને બાળકોને સૌથી વધારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.
સોમવારથી ફરીથી લાગુ થશે ઓડ-ઈવન ફોર્મ્યુલા
દિલ્હીમાં પ્રદુષણના કારણે ફ્લાઈટો ડાઈવર્ટ કરવી પડી હતી. આ સિવાય વિસ્ટારા એરલાઈન્સે ટ્વિટ કરીને કહ્યું કે વિઝિબિલિટી ઓછી હોવાના કારણે આગમન અને પ્રસ્થાનમાં વિલંબ થઈ રહ્યો છે. આપને એ પણ જણાવી દઈએ કે સોમવારથી દિલ્હીમાં ફરીથી ઓડ-ઇવન ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે જેથી પ્રદુષણને ઓછું કરવામાં મદદ મળી શકે.યાત્રિકોની સુવિધા માટે દિલ્હીમાં વધારાની 2000 બસો દોડાવવામાં આવી છે. દિલ્હીમાં હેલ્થ ઈમરજન્સી લાગુ કરવામાં આવેલ છે જે હેઠળ કોઈ પણ પ્રકારના બાંધકામ પર પ્રતિબંધ છે અને ફટકડા ફોડવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
સરકારી અને ખાનગી શાળાઓમાં રજા જાહેર
પ્રદુષણન કારણે નોઈડામાં ધો. 12 સુધી બધી જ સરકારી અને ખાનગી શાળાઓમાં 4 અને 5 તારીખે રાજા જાહેર કરવામાં આવી છે. દિલ્હી સરકરે પણ પ્રદુષણની ગંભીરતાને જોતા પહેલાં જ પાંચ નવેમ્બર સુધી બધી શાળાઓમાં રાજા જાહેર કરી દીધી હતી. વર્તમાન સમયમાં નોઈડામાં PM 2.5 અને PM 10નું પ્રમાણ અતિગંભીર સ્તરે છે જે સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે તેને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.