દેશભરમાં હિન્દી ભાષા પર વિવાદ ચાલું છે. ત્યારે હવે ઉત્તર પ્રદેશ મંત્રી તો હિન્દી ભાષાને લઈને ભાવૂક થઈ જતાં આકરી ટિપ્પણી કરી છે. અને હિન્દી નહીં બોલનારા લોકોને દેશ છોડી દેવાની વાત પણ કહી દીધી છે.
ઉત્તર પ્રદેશના મંત્રીએ આપ્યું નિવેદન
હિન્દી બોલનારા લોકોની જગ્યા છે હિન્દુસ્તાન
હિન્દી ન બોલતા લોકો દેશ છોડીને જતાં રહે
દેશભરમાં હિન્દી ભાષા પર વિવાદ ચાલું છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, આપણે સંવાદ કરવા માટે હિન્દીનો ઉપયોગ વધારેમાં વધારો કરવો જોઈએ. આ નિવેદન બાદ અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. હાલમાં જ અજય દેવગન અને દક્ષિણના કલાકાર સુદીપ કિચ્ચાએ આપેલા નિવેદન ચર્ચામાં રહ્યા હતા. આ તમામની વચ્ચે હવે યોગી સરકારના મંત્રી ડો. સંજય નિષાદે કહ્યું છે કે, જે લોકોએ હિન્દી બોલવામાં વાંધો હોય તો ભારત છોડીને જતાં રહે.
હિન્દી નહીં બોલનારા લોકો દેશ છોડીને જતાં રહે
તેમણે કહ્યું કે, જે ભારતમાં રહેવા માગે છે, તેમને હિન્દીને પ્રેમ કરવો પડશે. જો આપને હિન્દી પસંદ નથી, તો એવું માની શકાય કે, આપ વિદેશી અથવા તો વિદેશી તાકાતો સાથે જોડાયેલા છે. આપણે ક્ષેત્રિય ભાષાનું સન્માન કરવું જોઈએ, પણ આ દેશ એક છે અને ભારતનું સંવિધાન કહે છે કે, ભારત હિન્દુસ્તાન છે, જેનો અર્થ થાય છે કે, હિન્દી બોલનારા લોકોની જગ્યા છે. તેમણે કહ્યું કે, હિન્દુસ્તાનમાં એવા લોકો માટે જગ્યા નથી, જે હિન્દી નથી બોલતા, તેમને દેશ છોડીને બીજે ક્યાંક જતું રહેવું જોઈએ.
ગમે તેવો નેતા હોય તેને પણ જેલમાં નાખો
મંત્રીએ આગળ કહ્યું કે, મારા મનમાં તમામ સ્થાનિક ભાષાઓ માટે સન્માન છે, પણ હિન્દી કાયદા અનુસાર રાષ્ટ્રભાષા છે. કાયદાનું ઉલ્લંઘન કરનારા લોકોને જેલના સળીયા પાછળ ધકેલી દેવા જોઈએ. પછી ભલેને તે ગમે તેટલો મોટો રાજકીય નેતા હોય કે, શક્તિશાળી માણસ કેમ ન હોય.
દેશમાં માહોલ ખરાબ કરી રહ્યા છે
નિષાદ પાર્ટી પ્રમુખે એવો પણ આરોપ લગાવ્યો છે કે, અમુક લોકો હિન્દી બોલવા સામે વાંધો ઉઠાવીને માહોલ ખરાબ કરવાની કોશિશ કરી રહ્યા છે. આવા તત્વો દેશમા તણાવ ઉભો કરી રહ્યા છે. પણ લોકો તેમને જડબાતોડ જવાબ આપશે.