યુપીના રમત ગમત મંત્રી ગિરીશ ચંદ્ર યાદવ બે દિવસીય બાંદાની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં રવિવારે તેમની સાથે વિચિત્ર ઘટના ઘટી ગઈ.
યુપીના મંત્રી બાંદાની મુલાકાતે ગયા હતા
અહીં સર્કિટ હાઉસમાં તેઓ રોકાયા હતા
રાતના સમયે ઉંદરે બચકુ ભર્યું તો તબિયત ખરાબ થઈ
યુપીના રમત ગમત મંત્રી ગિરીશ ચંદ્ર યાદવ બે દિવસીય બાંદાની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં રવિવારે તેમની સાથે વિચિત્ર ઘટના ઘટી ગઈ. સૂતી વખતે ઉંદરે તેમને બચકું ભરી લીધું. જો કે, મંત્રીજીને સાંપ કરડી ગયો હોવાની શંકા જતાં તેમની તબિયત ખરાબ થઈ ગઈ. આ કિસ્સાના જાણ થતાં ખળભળાટ મચી ગયો હતો. તેમને તાત્કાલિક જિલ્લાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ઉંદરે બચકું ભર્યું હોવાની પુષ્ટિ થતાં તેમને પાટાપીંડી કરી રજા આપવામાં આવી હતી.
સર્કિટ હાઉસમાં રોકાયા હતા રાત
જિલ્લા હોસ્પિટલના મુખ્ય ડાયરેક્ટર ડો. એસએન મિશ્રાએ જણાવ્યું હતું કે, બે દિવસીય પ્રવાસે મંત્રીજી બાંદા આવ્યા હતા. રાતે તેઓ સર્કિટ હાઉસમાં રોકાયા હતાં. જ્યાં તેઓ રૂમ નંબર 6માં રોકાયા હતા. મોડી રાતે લગભગ ત્રણ વાગ્યે તેમને અનુભવ થયો કે, તેમના ડાબા પગની આંગળ પર કોઈએ ડંસ માર્યો છે.
સાપ કરડ્યો હોવાની બીકે તબિયત ખરાબ થઈ ગઈ
ડો. મિશ્રાના જણાવ્યા અનુસાર, આજૂબાજૂમાં જંગલ હોવાના કારણે મંત્રીને શંકા ગઈ કે, તેમને સાંપ કરડ્યો છે. તેના કારણે ગભરાહટમાં તેમની તબિયત ખરાબ થઈ ગઈ. મંત્રીજીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાં તપાસમાં જાણવા મળ્યું કે, તેમને સાંપ નહીં પણ ઉંદરે બચકું ભર્યું છે.
ડોક્ટરે સારવાર કરી પછી રાહત મળી
સીએમએસના જણાવ્યા અનુસાર સાંપે ડંસ ન માર્યો હોવાની પુષ્ટિ થયા મંત્રીજીને હાંશકારો થયો અને તેમને સવારે છ વાગ્યે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, મંત્રીજી હાલમાં એકદમ સ્વસ્થ છે અને સોમવારે તેઓ લખનઉ જવા રવાના થઈ જશે.