કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને યોગીને રાજીનામુ મોકલી આપ્યું
અધિકારીઓ આદેશ માનતા નથી, કોઈ વાત સાંભળવા તૈયાર નથી-ખટીક
યોગી સરકારમાં જળશક્તિ વિભાગના રાજ્યમંત્રી દિનેશ ખટીકે પોતાના પદેથી રાજીનામુ આપી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મોકલી આપ્યું છે. આ રાજીનામામાં દિનેશ ખટીકે અધિકારીઓ પર મહત્વ ન આપવા અને દલિતોને યોગ્ય માન સન્માન ન મળવાનો આરોપ લગાવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિનેશ ખટીકે પોતાનું રાજીનામું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજભવનમાં મોકલી આપ્યું છે.
જળશક્તિ વિભાગના રાજ્યમંત્રી દિનેશ ખટીકે આરોપ લગાવ્યો છે કે, દલિત હોવાના કારણે વિભાગમાં તેમની સુનાવણી થતી ન થી અને ન કોઈ બેઠકની સૂચના પણ તેમને આપવામાં આવે છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, રાજ્યમંત્રીના અધિકારી તરીકે ફક્ત એક ગાડી આપી દેવામાં આવી છે. મંત્રી દિનેશ ખટીકે ટ્રાંસફરના કેસોમાં મોટા ભ્રષ્ટાચારનો પણ આરોપ લગાવ્યો છે.
ટ્રાંસફરમાં મોટી ભૂલને લઈને દિનેશ ખટીકે અધિકારીઓ પાસેથી જાણકારી માગી તો, તેમને કોઈ જાણકારી આપવામા આવી નહીં. મુખ્ય સચિવ સિંચાઈ પર આરોપ લગાવતા રાજ્યમંત્રી દિનેશ ખટીકે કહ્યું કે, ફોન કરીએ તો, આખી વાત પુરી કર્યા પહેલા જ ફોન કટ કરી નાખે છે. મંત્રીએ નમામિ ગંગે યોજનામાં પણ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લખેલા પત્રમાં રાજ્યમંત્રી દિનેશ ખટીકે પોતાના વિભાગના અધિકારીઓ પર તમામ પ્રકારના આરોપ લગાવ્યા છે અને તેની એક કોપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજભવનમાં પણ મોકલી આપી છે. જો કે સરકાર અને પાર્ટી સંગઠન સ્તર પર તેની પુષ્ટિ થઈ નથી.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, મંત્રી દિનેશ ખટીકે અમિત શાહને લખેલા પત્રમાં કહ્યું છે કે, દલિત હોવાના કારણે અધિકારીઓ તેમની વાત સાંભળતા નથી, હજૂ સુધી વિભાગમાં મને કોઈ કામ સોંપવામાં આવ્યું નથી. જળ શક્તિ વિભાગમાં દલિત સમુદાયના રાજ્ય મંત્રી હોવાના નાતે મારા કોઈ પણ આદેશ પર કાર્યવાહી થતી નથી. ન તો વિભાગની યોજનાઓ વિશે કોઈ જાણકારી આપવામાં આવે છે.
દિનેશ ખટીકે આરોપ લગાવ્યો છે કે, ઉત્તર પ્રદેશ સરકારના અધિકારી દલિતોનું અપમાન કરી રહ્યા છે, મારા વિભાગમાં ટ્રાંસફરના નામ પર ખોટી રીતે પૈસા વસૂલવામાં આવ્યા છે. તેની જાણ થતાં મેં વિભાગાધ્યક્ષ પાસેથી તેની જાણકારી માગી તો, હજૂ સુધી કોઈ કાર્યવાહી કરવામા આવી નથી.