લખીમપૂર ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીના પુત્ર આશિષ મિશ્રાની ધરપકડ મેજીસ્ટ્રેટ સામે ચાલી રહેર્લી પૂછ પરછ દરમિયાન સવાલોના જવાબમાં સહયોગ ના કરતા ધરપકડ.
લખીમપૂર ખીરી કાંડમાં આશિષ મિશ્રાની ધરપકડ
12 કલાક ચાલેલી પૂછપરછમાં સહકાર ના આપ્યો
મેજીસ્ટ્રેટ સામે સવાલ-જવાબમાં અસહકાર બદલ ધરપકડ
લખીમપૂર ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીના પુત્ર આશિષ મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે. સતત 12 કલાકની મેરેથોન પૂછ પરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી.આશિષ મિશ્રાની મેજીસ્ટ્રેટ સામે ચાલી રહેર્લી પૂછ પરછ દરમિયાન સવાલોના જવાબમાં સહયોગ નાં કરતા તેમની ધરપકડ કરવામાં આવી હતી
તપાસમાં સહકાર ના આપતા ધરપકડ
લખીમપૂર ખીરી હિંસાના કેસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અજય મિશ્રાના પુત્ર અને સંદિગ્ધ આરોપો આશિષ મિશ્રાની શનિવારે સવારે 11 વાગ્યાથી 6 લોકોની એક ખાસ ટીમ પૂછ પરછ કરી રહી હતી. લખીમપૂરની ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં આશિષ મિશ્રના મેજીસ્ટ્રેટ સામે સવાલ-જવાબ થયા .પરંતુ તપાસમાં સહકાર નાં આપવા બદલ આશિષ મિશ્રાને ગિરફ્તાર કરી લેવાયો છે.સતત 12 કલાકની પૂછ પરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
लंबी पूछताछ के बाद हमने पाया कि वे(आशीष मिश्रा) सहयोग नहीं कर रहे, विवेचना में कई बातें बताना नहीं चाहते। इसलिए हम उन्हें गिरफ़्तार कर रहे हैं, उन्हें कोर्ट में पेश किया जाएगा: आशीष मिश्रा की गिरफ़्तारी पर लखीमपुर खीरी मामले में पर्यवेक्षण समिति के अध्यक्ष DIG उपेंद्र अग्रवाल pic.twitter.com/APN2sPKtey
પૂછ પરછ દરમિયાન આશિષ મિશ્રા પોતાના વકીલ સાથે ઉપસ્થિત રહ્યો હતો.પૂછપરછમાં DIG ઉપેન્દ્ર અગ્રવાલ, અને લખીમપૂરના ADM પણ સામેલ હતા.આશિષ મિશ્રાએ પોતાના બચાવમાં કેટલાય વિડીયો રજૂ કર્યા.તો 10 લોકોના સોગંદનામાં પણ રજૂ કર્યા હતા.જે દર્શાવે છે કે તે કાફલા સાથે નહોતો,દંગલ મેદાનમાં હતો
કેસની આગામી સુનાવણી 20 ઓક્ટોબરે
સુપ્રીમ કોર્ટ લખીમપુર ખેરી હિંસા મામલે યુપી સરકારના સ્ટેટસ રિપોર્ટથી સંતુષ્ટ ન હતી. સુપ્રીમ કોર્ટે આરોપીઓની ધરપકડ ન કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે હત્યાના કેસમાં પોલીસ આરોપીઓ સાથે અલગ રીતે કેમ વર્તન કરી રહી છે. સુપ્રીમ કોર્ટમાં કેસની આગામી સુનાવણી હવે 20 ઓક્ટોબરે થશે.ખીમપુર ખેરી હિંસા કેસના આરોપી અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા આજે (શનિવારે) ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ પહોંચ્યા હતા.પોલીસે સવારે 11 વાગ્યે આશિષ મિશ્રાને પૂછપરછ માટે બોલાવ્યા હતા.જે બાદ 12 કલાકની પૂછપરછ બાદ આશિષ મિશ્રાની ધરપકડ થઈ છે.
જ્યારે સમગ્ર મામલે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીએ ભાજપ પ્રદેશ મુખ્યાલયમાં કહ્યું કે મારો દીકરો નિર્દોષ છે. તેમણે કહ્યું કે દીકરા તરફથી નોટિસનો લેખિત જવાબ મોકલવામાં આવ્યો છે. દીકરાનું સ્વાસ્થ્ય સારુ ન હોવાથી તે શુક્રવારે રજૂ નથી થયો. તેમણે કહ્યું કે તે તપાસ એજન્સીના સામે રજૂ થઈને પોતાના નિર્દોષ હોવાના પુરાવા આપશે તેમણે કહ્યું કે અમારી પાર્ટી કોઈ પક્ષપાત નહીં કરે નિષ્પક્ષ તપાસ કરશે. તેમણે કહ્યું ગુનેગારોને કડક સજા મળશે. તેમણે કહ્યું કે ખેડૂતોના વેશમાં કેટલાક અસામાજિક તત્વો ટોળામાં સામેલ હતા. ડીઆઈજી ઉપેન્દ્ર અગ્રવાલ લખીમપુર ખીરી ઘટનામાં મંત્રીના પુત્ર અને અન્ય લોકો સામે નોંધાયેલી એફઆઈઆરની તપાસ કરતી મોનિટરિંગ કમિટીનું નેતૃત્વ કરી રહ્યા હતા