ચૂંટણી પંચે આજે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. યુપીમાં 10 ફેબ્રુઆરીએ પહેલા તબક્કાનું મતદાન યોજાવાનું છે. ત્યારે કાનપુર પોલીસ કમિશનર અસીમ અરુણે સ્વૈચ્છિક સેવાનિવૃતી જાહેર કરી દીધી છે. તેઓ ભાજપની ટિકિટ પરથી કન્નોજથી વિધાનસભાની ચૂંટણી લડશે. રાજીનામું આપ્યા બાદ તેઓ સીએમ યોગી આદિત્યનાથને પણ મળ્યાં હતા.
ફેસબુક પેજ પર રાજીનામાની કરી જાહેરાત
અસીમ અરુણે ફેસબુક પર વીઆરએસની જાહેરાત કરી છે. તેમણે લખ્યું કે પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મને ભાજપના સભ્ય યોગ્ય ગણ્યો છે. હું કોશિશ કરીશ કે પોલીસ સેવાનો અનુભવ અને સિસ્ટમ વિકાસત કરવાના ઉદ્દેશથી પાર્ટીને સેવા આપીશ.
અસીમ અરુણ મૂળ કન્નોજના રહેવાશી
અસીમ અરુણ મૂળ કન્નોજના રહેવાશી છે. તેમના પિતા શ્રીરામ અરુણ યુપીના પોલીસ મહાનિદેશક રહ્યાં છે. યુપી આઈપીએસમાં અસીમ અરુણની તેજતરાર અધિકારી તરીકે ગણના થાય છે. તેઓ એટીએસના આઈજી પણ રહી ચૂક્યા છે. એડીજી તરીકે બઢતી મળ્યાં બાદ કાનપુરના પહેલા પોલીસ કમિશનર બનાવાયા હતા.