ઉત્તર પ્રદેશના કન્નૌજમાં જીટી રોડ હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં મોડી રાત્રે બસ અને ટ્રક ધડાકાભેર અથડાયા હતા. ત્યારબાદ બસમાં આગ લાગી ચૂકી હતી. અકસ્માત સમયે બસમાં 50 લોકો સવાર હતા. જેમાંથી 20 લોકોના મોત નીપજ્યા છે, તો 21 ઘાયલોને સારવાર મળી રહી છે. PM મોદીએ આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે.
કન્નૌજમાં બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત
બસમાં સવાર લોકોમાં 20ના મોત, 21 ઘાયલ
PM મોદીએ આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું
યૂપીના કન્નૌજમાં શુક્રવારે રાતે થયેલા ગંભીર અકસ્માતમાં બસમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 20 લોકોના મોત નીપજ્યા છે અને 21 લોકો ઘાયલ થયાના સમાચાર મળ્યા છે. સીએમ યોગી આદિત્યાનાથે ઘાયલોની સારવાર માટે 50 હજાર રૂપિયા અને મૃતકોના પરિવારજનોને માટે 2 લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી છે.
CM Yogi Adityanath: Instructions have been given to provide all help to the injured. State govt has decided to provide ex-gratia of Rs 2 Lakh each to families of the deceased & Rs 50,000 each as compensation to the injured. I have asked for a report from the District Magistrate.
PM મોદીએ ટ્વિટ કરીને આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. PM મોદીએ કહ્યું કે મૃતકોના પરિજનો પ્રતિ હું સંવેદના પ્રકટ કરું છું અને સાથે જ ઈજાગ્રસ્તોને ઝડપથી સારવાર મળે અને તેઓ સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું.
उत्तर प्रदेश के कन्नौज में हुए भीषण सड़क हादसे के बारे में जानकर अत्यंत दुख पहुंचा है। इस दुर्घटना में कई लोगों को अपनी जान गंवानी पड़ी है। मैं मृतकों के परिजनों के प्रति अपनी संवेदनाएं प्रकट करता हूं, साथ ही घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं।
ઉલ્લેખનીય છે કે, આગ લાગેલી જોઇને બસમાં બેઠેલા મુસાફરોમાં ખળભળાટ મચી ગયો હતો. બસના 50 જેટલા મુસાફરોમાંથી 10 બહાર નીકળી શક્યા હતા. ફાયર બ્રિગેડ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ગજેન્દ્રસિંહ અને એડિશનલ પોલીસ અધિક્ષક વિનોદ કુમાર, છિબરામઉ કોટવાલ શૈલેન્દ્રકુમાર મિશ્રા ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
બસ કન્નૌજના ગુરસહાગંજથી જયપુર જઈ રહી હતી. સીએમ યોગી આદિત્યનાથે આ ઘટનાની ઝડપી નોંધ લીધી છે. તેમણે કન્નૌજના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવા અને મુસાફરોને વધુ સારી તબીબી સુવિધા ઉપલબ્ધ કરાવવા સૂચના આપી હતી.