યોગી સરકારે મલિન બસ્તીઓમાં રહેનાર લોકો માટે એક મોટું એલાન કરીને 1000 રુપિયામાં પાકુ મકાન આપવાની જાહેરાત કરી છે.
યુપીમાં મલિન બસ્તીમાં રહેનાર લોકો માટે મોટું એલાન
સરકારી અને પડતર જમીનો પર બસ્તીઓમાં રહેનાર લોકોને પાકા મકાન મળશે
યોગી આદિત્યનાથે ગુરુવારે મલિન બસ્તી પુર્નવિકાસ નીતિને આપી મંજૂરી
સરકારી અને પડતર જમીનોમાં રહેતા લોોને તે જ સ્થાને પાકુ મકાન આપવામાં આવશે, આ મકાનની ફાળવણી માટે ફક્ત 1000 રુપિયા શુલ્ક ચુકવવો પડશે.
સીએમ યોગી આદિત્યનાથે ગ યુપી મલિન બસ્તી પુર્નવિકાસ નીતિ 2021 ના પ્રસ્તાવને મંજૂરી આપી છે. સીએમના નિર્દેશ પર નગર વિકાસ વિભાગે ગુજરાતની જેમ હવે મલિન બસ્તીઓમાં રહેનાર લોકોને પાકા મકાન બનાવવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે.
મકાન નિર્માણ માટે ખાનગી ભાગીદારોની મદદ લેવાશે
આ કામ માટે નગર નિગમોમાં મંડળાયુક્તો અને પાલિકા પરીષદ અને નગર પંચાયતોમાં ડીએમની અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવશે. પાકા મકાનોનું નિર્માણ કામ ખાનગી ભાગીદારો પાસે કરાવવામાં આવશે.
સામુદાયિક સુવિધાઓ પણ વિકસીત કરવામાં આવશે
આ યોજના માટે ખાનગી પાર્ટનરને કુલ ક્ષેત્રફળની અડધી જમીન આપવામાં આવશે અને અડધી જમીન પર મલ્ટી સ્ટોર ભવનમાં મકાન બનાવવવામાં આવશે. મલ્ટી સ્ટોરી ભવનની સાથે સામુદિયાક સુવિધાઓ પણ વિકસીત કરવામાં આવશે તેને માટે 50 હજાર રુપિયાનું કોર્પસ ફંડ પણ બનાવવામાં આવશે.