ઉત્તર પ્રદેશની યોગી સરકારે ડોકટરો માટે નવું ફરમાન બહાર પાડ્યું છે. આ અંતર્ગત, PG કર્યા પછી, ઓછામાં ઓછા દસ વર્ષ સુધી સરકારી હોસ્પિટલમાં સેવા આપવી જરૂરી છે.
જો કોઈ વ્યક્તિ સરકારી નોકરી અધવચ્ચેથી છોડી દેશે તો તેણે એક કરોડ રૂપિયાનો દંડ ભરવો પડશે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સરકારી હોસ્પિટલોમાં નિષ્ણાંત ડોકટરોની તંગી ભરવાના હેતુસર સરકારે NEETમાં પણ છૂટની જોગવાઈ કરી છે.
NEETમાં છૂટનો આ રીતે લાભ લે છે ડોક્ટરો
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સરકારી હોસ્પિટલોમાં ડોકટરોની 15,000 થી વધુ પોસ્ટ્સ છે. હાલમાં 11,000 ડોકટરો કાર્યરત છે.
ગ્રામીણ વિસ્તારોની સરકારી હોસ્પિટલોમાં એક વર્ષ કામ કરેલા MBBS ડોકટરોને NEETમાં 10 માર્કની છૂટ મળે છે. જ્યારે બે વર્ષ સુધી કામ કરેલા ડોકટરોને 20 અને ત્રણ વર્ષ સુધી કામ કરેલા ડોકટરોને 30 માર્કની છૂટ મળે છે.
દર વર્ષે મોટી સંખ્યામાં સરકારી હોસ્પિટલોમાં પોસ્ટ કરાયેલા ડોકટરો PGમાં પ્રવેશ મેળવી શકે છે. આને કારણે સરકારે નવો નિર્ણય લીધો છે.
રાજ્યના ડોકટરો માટે ખાસ ફરમાન
ભણવાનું પૂર્ણ થયા પછી તરત સરકારી નોકરી જોઈન કરવી જરૂરી
PG પછી સરકારી ડોકટરોની સિનિયર રેસિડન્સી નામંજૂર કરવામાં આવશે
સિનિયર રેસિડન્સીનું NOC નહીં મળે
DNB કોર્સ માટે ડોક્ટર્સનો સિનિયર રેસિડેન્ટ તરીકે ઉપયોગ