ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને રવિવારે રાષ્ટ્રપતિ ભવનના એક નિવેદન અનુસાર, લાલજી ટંડન બિમાર હોવાથી મધ્યપ્રદેશના રાજ્યપાલનો વધારાનો ચાર્જ સોંપાયો છે. 85 વર્ષીય ટંડનની 11 જૂનથી લખનૌની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મહત્વનું છે કે હવે આનંદીબેન ઉત્તરપ્રદેશની સાથે મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકેનો પણ ચાર્જ સંભાળશે.
બીમાર રાજ્યપાલ લાલજી ટંડન પરત ફરે ત્યાં સુધી આનંદીબેનને ચાર્જ
આનંદીબેન અગાઉ મધ્યપ્રદેશના રાજ્યપાલ રહી ચૂક્યા છે
રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ભારતના રાષ્ટ્રપતિ લાલજી ટંડનની ગેરહાજરી દરમિયાન મધ્યપ્રદેશના રાજ્યપાલનો વધારાનો ચાર્જ સોંપાયો છે. ઉલ્લેખનીય છે કે લખનૌના મેદાંતા હોસ્પિટલમાં એડમિડ મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનની પરિસ્થિતિ 2 દિવસ પહેલા નાજૂક બની ગઇ હતી. તેમને ઇલેક્ટિવ વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. નિદેશક મેદાંતા હોસ્પિટલ લખનૌ રાકેશ કપૂરને રાજ્યપાલની તબિયતને ગંભીર ગણાવી હતી કે તેમને લીવરમાં તકલીફ થઇ રહી છે જેને લઇને સીટી ગાઇડેડ પ્રોસીઝર કર્યું છે.
મહત્વનું છે કે રાજ્યપાલ લાલજી ટંડનનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. તેમની તાપસ કરતા રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જણાવી દઇએ કે 10 દિવસની રજા પર લખનૌ હતા, પરંતુ તેમની તબિયત ખરાઇ થઇ ગઇ. ત્યારબાદ 11 જૂને સવારે શ્વાસ લેવામાં તકલીફ, પેશાબની તકલીફ અને તાવ લઇને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
President of India is pleased to appoint Anandiben Patel, Governor of Uttar Pradesh to discharge the functions of the Governor of Madhya Pradesh, in addition to her own duties, during the absence on leave of Lal Ji Tandon, Governor of Madhya Pradesh: Rashtrapati Bhawan (File pic) pic.twitter.com/xZZaGS2HxS