રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ગુજરાતમાં દારૂને લઇને આપેલા નિવેદન બાદ વિવાદનો મધપૂડો છંછેડાયો હતો અને ત્યારબાદ વિજય રૂપાણીએ તેમને પોતાનું રાજ્ય સંભાળવાની સલાહ પણ આપી હતી ત્યારે આજરોજ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલે વિરમગામ ખાતે દારૂને લઇને નિવેદન આપતા વિવાદ સર્જાવાની સંભાવનાઓ સેવાઇ રહી છે.
દારૂબંધી મુદ્દે આનંદીબેન પટેલનો કટાક્ષ
"આ વિસ્તારમાં પીવાનું મળતું હશે ને?"
વિવાદ સર્જાય તો નવાઇ નહીં
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ આજે વિરમગામ તાલુકાના જખવાડાના મહેમાન બન્યા હતા. એ દરમિયાન તેમણે દારૂબંધીને લઈને કટાક્ષ કર્યો હતો. આનંદીબેને કહ્યું કે, અહીં ખાવા જેવું છે, અહીં પીવા જેવું છે. પીવાનું એટલે બીજું નહી ચા પાણી બધુ. બીજું પીવાનું તો મળતું હશે? મળે છે? બંધ કરાવો....આ સાથે જ તેમણે પોટલીનું પણ ગણિત સમજાવ્યું હતું.
ગ્રામ પંચાયતના બિલ્ડિંગનું કર્યું લોકાર્પણ
જખવાડા ગામમાં આનંદીબેન પટેલનું ઢોલનગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ તેમને એક ખાસ જીપ દ્વારા કાર્યક્રમ સ્થળે લઇ જવામાં આવ્યા હતા. તેમનું 500 કુમારીકાઓએ કળશ રાખીને પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું. તેમણે રિબિન કાપીને ગ્રામ પંચાયતના બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું.
મહેસાણામાં બાળકોને પીવડાવ્યા પોલિયોના ટીપા
કોંગ્રેસ પ્રવક્તાએ આપ્યું નિવેદન
નોંધનીય છે કે, રાજ્યપાલ આંનદી બહેનમાં દારૂના નિવેદન મામલે મનીષ દોશીની પ્રતિક્રિયા આપતા કહ્યું કે,આનંદીબેને આ ભ્રષ્ટાચારી સરકારને નજીકથી જોઇ છે. જ્યારે આ સલાહ રાજસ્થાનના મુખ્યમંત્રીએ આપી ત્યારે તેને ખોટી રીતે જોવાયું હતું.
ચેકપોસ્ટ બંધ કરી ને દારૂ સીધી રીતે ગુજરાતમાં આવે છે. તેમણે મંત્રી અને ભાજપના શાસનને નજીકથી જોયું છે. સરકારએ તેમના નિવેદનને ગંભીતાથી લેવું જોઈએ. અગાઉ ભાવનગરના ડે મેયરે પણ કહ્યું હતું અને આજે ભાજપના અધ્યક્ષ જે ભાવનગરના છે તેમને આ અંગે જવાબદારી લેવી જોઈએ.