ઉત્તર પ્રદેશ સરકારે ત્રણ તલાક પીડિતાઓને આવતા વર્ષથી પેન્શન આપવાનો નિર્ણય કર્યો છે. તેના હેઠળ પીડિતાઓને 6000 રૂપિયાનું વાર્ષિક પેન્શન આપવાની જોગવાઇ છે. સરકારે તેનો પ્રસ્તાવ તૈયાર કરી લીધો છે. આ પ્રસ્તાવને કેબિનેટની હવે પછીની બેઠકમાં રાખવામાં આવશે. તેનો લાભ મેળવવા માટે કોઇપણ પ્રકારની કોઇ આયુ સીમા રાખવામાં આવી નથી.
ઉત્તર પ્રદેશ સરકારે ત્રણ તલાક પીડિતાઓને આવતા વર્ષથી પેન્શન આપવાનો નિર્ણય કર્યો
ઉત્તર પ્રદેશ સરકાર પીડિતાઓને 6000 રૂપિયાનું વાર્ષિક પેન્શન આપશે
સરકારે પ્રદેશની ત્રણ તલાકથી પીડિત 5000 મહિલાઓની ઓળખ કરી છે
પ્રાપ્ત જાણકારી અનુસાર, મામલાની એફઆઇઆર અથવા ફેમિલી કોર્ટમાં ભરણ-પોષણનો કેસ તેનો આધાર રહેશે. તેના માટે સરકારે પ્રદેશની ત્રણ તલાકથી પીડિત 5000 મહિલાઓની ઓળખ કરી છે. પહેલા ચરણમાં આ મહિલાઓને લાભ આપવામાં આવશે.
ત્રણ તલાકને ગૂનો જાહેર કર્યા બાદ સીએમ યોગી આદિત્યનાથે પીડિત મહિલાઓને મદદ કરવાનું એલાન કર્યું હતું. તેમા કહેવામાં આવ્યું હતું કે, જે મહિલાઓના પતિઓએ તેમને છોડી દીધા છે. તેમને દર વર્ષે 6000 રૂપિયા પેન્શન આપવામાં આવશે.
ત્રણ તલાકના મામલાઓમાં મુખ્યમંત્રી યોગીએ કહ્યું હતું કે, 'યૂપીમાં ગત એક વર્ષમાં 273 મામલા સામે આવ્યા હતા. અમે તમામ મામલાઓમાં એફઆઇઆર નોંધી. મેં અહીં પ્રમુખ સચિવ, ગૃહને એટલા માટે બોલાવ્યા છે કે, તેઓ આ તમામ મામલાઓની ખુદ સમીક્ષા કરે અને જે પોલીસ કર્મીઓએ બેદરકારી દર્શાવી છે, તેમના પર કાર્યવાહી કરવામાં આવે.'