ઉત્તર પ્રદેશ દ્વારા લગાવવામાં આવેલા કોરોના કર્ફ્યુ વખતે પણ શ્રમિકોને વધુ રોજગાર ઉપલબ્ધ કરવવામાં આવ્યો છે
કોરોના કર્ફ્યુ હોવા છતાં સરકારે આપી રોજગારી
પ્રદેશમાં એક મહિનામાં છ ગણાથી પણ વધારે શ્રમિકોને રોજગાર મળ્યો
દરરોજ 50-60 હજાર લોકોને રોજગાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે
કોરોના મહામારી પર નિયંત્રણ લાવવા માટે ઉત્તર પ્રદેશ દ્વારા લગાવવામાં આવેલા કોરોના કર્ફ્યુ વખતે પણ શ્રમિકોને વધુ રોજગાર ઉપલબ્ધ કરવવામાં આવ્યો છે. પ્રદેશમાં એક મહિનામાં છ ગણાથી પણ વધારે શ્રમિકોને રોજગાર મળ્યો છે. આમ કરનાર ઉત્તર પ્રદેશ દેશનું સૌથી પહેલું રાજ્ય છે. અહીં દરરોજ 50-60 હજાર લોકોને રોજગાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
આ 10 જિલ્લાઓમાં શ્રમિકોને મળ્યા સૌથી વધુ રોજગાર
મનરેગામાં શ્રમિકોને સૌથી વધુ રોજગાર ખીરી, કુશીનગર, બહરાઈચ, મહરાજગંજ, સીતાપુર, હરદોઈ, સિદ્ધાર્થનગર, પ્રયાગરાજ, વસ્તી અને રાયબરેલીમાં શ્રમિકોને રોજગાર મળ્યો છે. 10 મેએ પ્રદેશની 17,980 ગ્રામ પંચાયતોમાં શ્રમિકોની સંખ્યા 2,49,428 હતી. જે પાંચ જૂને વધીને 53,099 ગ્રામ પંચાયતોમાં 13,45,151 થઈ ગઈ. ત્યાર બાદ છ જૂને 52, 818 ગ્રામ પંચાયતોમાં શ્રમિકોની સંખ્યા 14,08,615 થઈ ગઈ છે.
આ જિલ્લાઓમાં મળ્યા સૌથી વધુ રોજગાર
મનરેગામાં શ્રમિકોને સૌથી વધુ રોજગાર ખીરીમાં 60,435, કુશીનગરમાં 55,130, બહરાઈચમાં 53,674, મહરાજગંજમાં 48,770, સીતાપુરમાં 47,704, હરદોઈમાં 36,046, સિદ્ધાર્થનગરમાં 35,635, પ્રયાગરાજમાં 34,206, વસ્તીમાં 32,192, અને રાયબરેલીમાં 31,599 શ્રમિકોને રોજગાર મળ્યા છે.
આ કારણે વધી શ્રમિકોની સંખ્યા
સીએમ યોગીએ બીજા પ્રદેશોમાં લોકડાઉન શરૂ થતાની સાથે જ આવનાર પ્રવાસીઓની સ્કિલ મેપિંગના આદેશ આપ્યા છે. સાથે જ તેમણે મનરેગા શ્રમિકોને રોજગાર ઉપલબ્ધ કરાવવા માટે કામના દિવસો પણ વધારવાનો આદેશ આપ્યો છે. તેનું પરિણામ એ છે કે આંશિક કોરોના કર્ફ્યુ લાગુ થવા છતાં 10મેથી લઈને છ જૂન સુધી સતત શ્રમિકોની સંખ્યા વધી છે.