કોરોના વાયરસ અને લોકડાઉનને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ સરકારે મોટો નિર્ણય લીધો છે. પ્રદેશ સરકારે પણ કેન્દ્રની જેમ પોતાના કર્મચારીઓના જાન્યુઆરીથી લાગુ કરેલા મોંઘવારી ભથ્થા અને પેન્શનરોને મોંઘવારી રાહત પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી છે.
મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત પર પ્રતિબંધનો નિર્ણય લેવાયો
નિર્ણયથી રાજ્યને લગભગ 10 હજાર કરોડની બચત થશે
ઉત્તર પ્રદેશમાં 16 લાખ કર્મચારીઓને આ નિર્ણયની અસર પડશે
શું નિર્ણય લેવાયો
આ સાથે જ સરકારે 6 જગ્યાઓની ભરતી પ્રક્રિયા પણ અટકાવી દીધી છે. યુપી સરકારે મોંઘવારી ભથ્થા(ડીએ) પર પ્રતિબંધ લગાવી દીધો છે. હવે કર્મચારીઓ અને પેન્શનરોને ડીએ પણ આપવામાં આવે. 1 જાન્યુઆરી2020થી જૂન 2021 સુધી ડીએ બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત સચિવાલયનું ભથ્થુ, પોલીસ ભથ્થુ પણ બંધ કરી દેવામાં આવશે.
10 હજાર કરોડની બચત થશે
આનાથી યુપીમાં 16 લાખથી વધારે કર્મચારીઓને અસર થશે. ત્યારે 11. 82 લાખ પેન્શનરોને ઝટકો લાગ્યો છે. આર્થિક તંગીનો સામનો કરી રહેલી સરકારને કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત પર નિર્ણય લેવાથી લગભગ 10 હજાર કરોડની બચત થશે.
દરેક જિલ્લામાં ફોકસ ટીમ બનાવવામાં આવશેઃ સીએમ
ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટીમ 11 સાથે સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના અધિકારીઓને કહ્યું કે સંક્રમણને રોકવા માટે દરેક જિલ્લામાં ફોકસ ટીમ બનાવવામાં આવશે. કોઈ પણ રીતે વાયરસ સંક્રમણનો ફેલાવો ન થવો જોઈએ. તેમણે આદેશ કર્યો છે કે કોરોના યોદ્ધાઓ માટે પીપીઈ કિટ N-95 માસ્કને ઉપલબ્ધ કરાવવામાં આવે.