યૂપી સરકારે ગુરૂવારે અલ્હાબાદ હાઇકોર્ટની લખનઉ બેન્ચનાં નિર્ણયની સામે સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરી હતી જેના પર 2 જાન્યુઆરીનાં રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. હાઇકોર્ટે 23 ડિસેમ્બરનાં રાજ્ય સરકારની ઓબીસી આરક્ષણને લઇને નોટિફિકેશન પણ રદ કરી છે.
યૂપી સરકારની પિટિશન પર સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી
2 જાન્યુઆરી 2023નાં રોજ થશે સુનાવણી
ઓબીસી આરક્ષણને લઇને કરવામાં આવી છે અરજી
ઉત્તરપ્રદેશમાં સ્થાનીય ચૂંટણીમાં પછાત વર્ગોને આરક્ષણ આપવાને લઇને યૂપી સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. ગુરૂવારે યૂપી સરકારે અલ્હાબાદ હાઇકોર્ટની લખનઉ બેન્ચનાં નિર્ણયની સામે સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરી હતી જેના પર 2 જાન્યુઆરીનાં રોજ કોર્ટ ખુલતાંની સાથે જ સુનાવણી શરૂ થશે. વિનોદ શાહીએ જણાવ્યું કે ઓફિશયલી સુપ્રીમ કોર્ટમાં SLPને ફાઇલ કરી દીધેલ છે. આવનારી 2 જાન્યુઆરીનાં રોજ કોર્ટ ખુલશે અને સુનાવણી શરૂ થશે.
Uttar Pradesh government has filed a Special Leave Petition (SLP) in Supreme Court regarding the decision of the Allahabad High Court denying OBC reservation in civic body elections of the state
ઓબીસી આરક્ષણને લઇને નોટિફિકેશન પણ રદ
5 ડિસેમ્બરનાં ઉત્તરપ્રદેશ સરકારે નગર નિગમ ચૂંટણીમાં આરક્ષણ યાદી જાહેર કરી હતી જેમાં ઓબીસી અને SC-ST માટે સીટ આરક્ષિત રાખવામાં આવી હતી. આ આરક્ષણનાં વિરૂદ્ધમાં હાઇકોર્ટની લખનઉ બેન્ચમાં અરજી દાખલ કરવામાં આવી છે જેમાં કહેવાયું છે કે ઓબીસી આરક્ષણ આપવામાં સુપ્રીમ કોર્ટ દ્વારા જે ટ્રિપલ ટેસ્ટને જરૂરી જણાવવામાં આવ્યું છે તેનું પાલન થયું નથી. આ મુદે સુનાવણી કરતાં હાઇકોર્ટે 27 ડિસેમ્બરનાં નગર નિગમ ચૂંટણીને ઝડપી કરાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ રાજ્ય સરકારનાં ઓબીસી આરક્ષણને લઇને નોટિફિકેશન પણ રદ કરી દેવાયો છે.
ગુજરાતમાં પણ સ્થાનિક ચૂંટણીઓમાં ઓબીસી અનામતની માગ
ગુજરાતમાં પણ સ્થાનિક ચૂંટણીઓમાં ઓબીસીને અનામત આપવાનો મુદ્દો ચગેલો છે. ચૂંટણીમાં પછાત વર્ગોના પ્રતિનિધિત્વને લઇને ગુજરાત સરકારે 8 જુલાઇએ મોટો નિર્ણય કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અન્ય પછાત વર્ગોને પૂરતું પ્રતિનિધિત્વ મળે તે હેતુસરના સુપ્રિમ કોર્ટના નિર્દેશ મુજબની કાર્યવાહી માટે એક સ્વતંત્ર પંચની રચના કરવાનો નિર્ણય કર્યો છે.આ પંચના અધ્યક્ષ તરીકે ગુજરાત હાઇકોર્ટના નિવૃત ન્યાયાધિશ કે.એસ. ઝવેરી રહેશે. એવામાં ઉત્તર પ્રદેશમાં સુપ્રીમ કોર્ટ જે ચુકાદો આપે તેની કેટલી અસર ગુજરાત પર થાય છે તે પણ આગામી સમયમાં જોવાનું રહેશે.
પછાગ વર્ગ આયોગની કરાઇ રચના
બીજેપી પોતાના નિર્ણય પર અડગ છે અને નગર નિગમની ચૂંટણીમાં પછાત વર્ગોને આરક્ષણ આપવાને લઇને યોગી સરકારે 5 સદસ્યવાળાં પછાત વર્ગ આયોગની રચના કરી છે. આ આયોગ કમિશન ધોરણોનાં આધાર પર પછાત વર્ગોની આબાદીને લઇને સર્વે કરશે અને રિપોર્ટની સોંપણી કરશે. રિટાયર્ડ જસ્ટિસ રામઅવતાર સિંહને આયોગ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે. સદસ્યોમાં ચોબસિંહ વર્મા, મહેન્દ્રકુમાર, સંતોષ વિશ્વકર્મા અને બ્રિજેશ સોની સમાવિષ્ટ છે. આ આયોગ રાજ્યપાલની અનુમતીથી 6 મહિના માટે રચવામાં આવે છે જે ટૂંક જ સમયમાં સર્વે કરીને રિપોર્ટની સોંપણી કરશે.