ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા ભાજપના નેતા ડીકે ગુપ્તાની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. ડીકે ગુપ્તા ભાજપ મંડળના ઉપાધ્યક્ષ હતા. અજાણ્યા શખ્સોએ તેમને ઘેરીને તેના પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું. જેમાં તેમનું મોત થયું. જ્યારબાદ ગુનેગારો ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા.
ફિરોઝાબાદમાં ભાજપના નેતા દયાશંકર ગુપ્તાની હત્યા
હત્યારાઓએ ઘેરીને ગોળીઓ ચલાવી
નિર્મમ હત્યા બાદ વિસ્તારમાં આક્રોશ ફેલાઇ ગયો
ભાજપ નેતાની આ પ્રકારે નિર્મમ હત્યા બાદ વિસ્તારમાં આક્રોશ ફેલાઇ ગયો છે. ગુસ્સે ભરાયેલા લોકોએ રોડ પર નિકળીને હોબાળો મચાવ્યો. ઘટનાસ્થળે પોલીસ અને વરિષ્ઠ અધિકારીઓ પણ પહોંચ્યા છે.
પોલીસ અધિક્ષક મુકેશ ચંદ્ર મિશ્રે આ ઘટનાને લઇને કહ્યું કે, નગલા બીચમાં દયા શંકર ગુપ્તાની અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. અમે ઘટનાસ્થળે જ હાજર છીએ. આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ભાજપ મંડળ ઉપાધ્યક્ષ દયાશંકર ગુપ્તા ઉર્ફે ડીકે ગુપ્તા નારખી વિસ્તારના નગલા બીચ ગામમાં પોતાની દુકાન પર બેઠા હતા. ત્યારે એક બાઇક સવાર થઇને ત્રણ અજાણ્યા શખ્સો ત્યાં પહોંચ્યા અને અંધાધૂધ ફાયરિંગ કરી નાખ્યું. ગોળી લાગ્યા બાદ તેમને તાત્કાલિક આગ્રાના પુષ્પાંજલિ હોસ્પિટલ લઇ જવાયા. જ્યાં તેમનું મોત થઇ ગયું.
આક્રોશિત લોકોએ પચોખરા ટૂંડલા માર્ગને જામ કરી દીધો. આ દરમિયાન સ્થાનિક લોકોની પોલીસ સાથે બોલાચાલી પણ થઇ. રોડ પર ઘણી ભીડ એકઠી થઇ ગઇ. જ્યાં આ ઘટના બની, ત્યાં ટૂંડલા વિસ્તારમાં આવે છે અને ટૂંડલા વિધાનસભામાં પેટાચૂંટણી છે.
3 નવેમ્બરે આ મતદાન કરવાનું છે. તેવામાં ભાજપના મંડળ ઉપાધ્યક્ષ દયાશંકર ગુપ્તાની આ પ્રકારે ત્રણ લોકો દ્વારા હત્યા કરી ફરાર થઇ જવું, પોલીસની કામગીરી પર સવાલ ઉપજાવે છે. લોકોમાં પોલીસના મોટા અધિકારીઓ પ્રત્યે ઘણો ગુસ્સો છે.