ઓમપ્રકાશ રાજભર ગઈકાલ સુધી નાનાદળોને સાથે લઈને ભાજપ સામે મોરચો ખોલીને બેઠા હતાં. પરંતુ હવે તેમણે કેટલીક શરતો સાથે NDAનો હાથ પકડવાની વાત કરી છે.
યુપીમાં ચૂંટણીનો માહોલ જામ્યો
વિધાનસભા ચૂંટણીને લઈ ગતિવિધી તેજ
ઓમપ્રકાશ રાજભરને ગમવા લાગ્યું ભાજપ?
ભાજપને વખોડનારા, ભાજપ સાથે આવશે?
ઓવૈસીને છોડી, યોગીનો હાથ પકડશે રાજભર?
ફરી ભાજપ સાથે જોડાશે રાજભર?
2024ની લોકસભાની ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટીનું મોટું લક્ષ્ય છે ઉત્તરપ્રદેશની ચૂંટણી જીતવી. સૌથી મોટી પરીક્ષા ઉત્તરપ્રદેશમાં થવાની છે આથી જ ભાજપ ઉત્તરપ્રદેશ ચૂંટણીનો જંગ જીતવા માટે પૂરતી તાકાત લગાવી દીધી છે. વિપક્ષ નેતા પણ ઉત્તરપ્રદેશનો ગઢ જીતવા માટે કવાયત કરી રહ્યા છે. આ બધાની વચ્ચે સુહેલદેવ ભારતીય સમાજવાદી પાર્ટી અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરના સૂર બદલાતાં જોવા મળી રહ્યા છે. હવે તેઓ NDAમાં આવવા માટે તૈયાર જોવા મળી રહ્યા છે અને આ માટે તેઓ ગઈ ગુજરી ભૂલી જવા માટે પણ તૈયાર છે.
અત્યાર સુધી ભાજપને હરવવાની વાતો કરતાં હતા
ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે. સત્તા માટે રાજકીય દાવપેચ શરૂ થઈ ગયા છે, આવામાં ઉત્તરપ્રદેશથી એક એવા સમાચાર સામે આવ્યા છે. જે ભાજપ માટે રાહતના સમાચાર લાવી છે. ભાજપને અત્યાર સુધી વખોડનારા સુહેલદેવ ભારતીય સમાજના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભર હવે ફરી એકવાર NDAનો હાથ પકડવા માટે રાજી જોવા મળી રહ્યા છે. રાજભર બેબાક સ્પષ્ટ પણે કહ્યુ કે જો તેની કેટલીક માગણીઓ માની લેવામાં આવે તો તે NDAની સાથે આવી શકે છે.આ એજ રાજભાર છે જે થોડા દિવસ પહેલાં ભાજપના નેતાઓને મારવાની વાત કરી રહ્યા હતાં.
NDAમાં સામેલ થવા માટે મૂકી શરતો
ઓમપ્રકાશ રાજભર ગઈકાલ સુધી નાનાદળોને સાથે લઈને ભાજપ સામે મોરચો ખોલીને બેઠા હતાં. પરંતુ હવે તેમણે કેટલીક શરતો સાથે NDAનો હાથ પકડવાની વાત કરી છે. રાજભરનું કહેવું છે કે દેશમાં જાતિઆધારે વસતી ગણતરી થવી જોઈએ. સામાજિક ન્યાય રિપોર્ટને લાગુ કરવામાં આવે અને પછાત સમાજમાંથી CM બને. જો આવું બનશે તો તેઓ NDAમાં જોડાવા રાજી છે.
યુપી ભાજપના ઉપાધ્યક્ષ દયાશંકર સિંહ સાથે રાજભરની મુલાકાત થઈ અને તેને NDAમાં લાવવાની પહેલ કરી. તેની સાથે રાજભર યુપી ભાજપના અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહ સાથે મુલાકાત કરી. ત્યારબાદ રાજભરના સૂર ભાજપને લઈને બદલાય ગયા. દયાશંકર સિંહ દાવો કરી રહ્યા છે કે રાજભર હંમેશા સૈદ્ધાંતિક રીતે ભાજપની નજીક જ રહ્યા છે.
ઓવૈસી સાથેનું ગઠબંધન લાંબુ ન ચાલ્યું
ઓમપ્રકાશ રાજભરે ભાગીદારી મોરચો બનાવીને પછાત અને મુસ્લિમનો નવું સમીકરણ રચવાનો પ્રયાસ કર્યો. આમા તેમને ઓવૈસીનો સાથ મળ્યો. રાજભરનો સાથ લઈને ઓવૈસી યુપીમાં રાજકીય ઈનિંગ શરૂ કરવા તલપાપડ હતાં. બંનેની રાજકીય જુગલબંદી બની, પરંતુ થોડા દિવસો બાદ રાજભરે ઓવૈસીનો હાથ છોડી દીધો છે. તેઓ કહી રહ્યા છે AIMIM ક્યારેય ભાગીદારી મોરચાનો ભાગ ન હતી.
રાજકારણમાં કોઈ સ્થાઈ દુશ્મન કે દોસ્ત નથી હોતાં
રાજભરનો NDA તરફ ઝુકાવ ઓછામાં ઓછું ભાજપ માટે રાહતના સમાચાર છે. કારણ કે યુપીમાં રાજભર સમુદાયના ત્રણ ટકા વોટ છે.125 સીટો પર રાજભર સમુદાયના વોટ છે. પૂર્વ યુપીમાં રાજભર સમુદાયનું સમર્થન ઘણુ મહત્વનું છે. દાવો છે કે 62 સીટો પર રાજભર સમુદાય નિર્ણાયક ગણાય છે. રાજકારણમાં કોઈ સ્થાઈ દુશ્મન કે દોસ્ત નથી હોતાં અને જ્યારે ચૂંટણી નજીક હોય ત્યારે આસ્થા બદલવાની અટકળો તેજ જોવા મળે છે અને યુપીમાં ચૂંટણીના માહોલની સાથે રાજકીય સૂરો પણ બદલાવા લાગ્યા છે.