યુપી ભાજપને આજે બે મોટા ઝટકા લાગ્યા છે. પહેલા યોગી કેબિનેટના મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય અને હવે ભાજપના બે ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં છે.
યુપીમાં 10 ફેબ્રુઆરીથી વિધાનસભાની ચૂંટણી
પહેલા યોગી કેબિનેટના મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યનું રાજીનામું
હવે ભાજપના બે ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં
યુપીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપનો મોટો ખેલ પડી ગયો છે. આજનો દિવસ યુપી ભાજપ માટે ભારે રહ્યો છે. પહેલા યોગી કેબિનેટના સિનિયર મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય અને હવે ભાજપના બે ધારાસભ્ય રોશનલાલ વર્મા અને બ્રજેશ પ્રજાપતિએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. બન્ને ધારાસભ્યોએ સ્વામી પ્રસાદના સમર્થનમાં રાજીનામું આપ્યું છે અને તેઓ સ્વામી પ્રસાદની જેમ સમાજવાદી પાર્ટીમાં જોડાશે તેવું ચર્ચાઈ રહ્યું છે.
ધડાધડ રાજીનામાથી ભાજપની ચિંતા વધી
યુપી ચૂંટણી પહેલા આજે 4 રાજીનામાના પડેલા ધારાસભ્યને કારણે ભાજપની ઊંઘ ઊડી ગઈ છે. જે નેતાઓએ રાજીનામા આપ્યાં છે તેમની પશ્ચિમ યુપીની વોટબેંક પર મોટી અસર છે.
યોગી સરકારમાં અમારી કોઈ સમસ્યાનું સમાધાન ન થયું-ધારાસભ્ય
ધારાસભ્ય રોશન લાયોગીએ ભાજપ છોડતી વખતે કહ્યું હતું કે, યોગી સરકારમાં 5 વર્ષ સુધી થયેલી તેમની ફરિયાદોનો કોઈ નિવેડો લવાયો નથી જેને કારણે તેમને પાર્ટી છોડવાની ફરજ પડી છે.
સુનીલ બંસલ અને અપક્ષ દેવ સિંહ પણ ભાજપની નારાજ, રાજીનામાની ચર્ચા
ઉત્તર પ્રદેશમાં સુનીલ બંસલ અને અપક્ષ દેવ સિંહને ચૂંટણી પહેલા પાર્ટીથી નારાજ નેતાઓને સમજાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. કેન્દ્રીય નેતૃત્વના નિર્દેશ પર જવાબદારી આપવામાં આવી છે.
સ્વામી પ્રસાદ મૌર્યે યુપી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું
યુપીના શ્રમ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યે કેબિનેટમાંથી રાજીનામું આપીને ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો આપ્યો છે. તેઓ સમાજવાદી પાર્ટીમાં જોડાયે છે. સ્વામી પ્રસાદ મૌર્યની પછાત સમુદાયના મોટા નેતા તરીકે ગણના થાય છે.